________________
સાંકળી ફઈબા
૮૫ “પિતાજી, મારે દેવદર્શન કર્યા વિના મેમાં પાણી પણ ન નાખવાનું નીમ, પરણ્યા પહેલાં મહારાજે જીવતેજીવતની બાધા આપેલી. મારાં શાણાં સાસુ રાજ કહે, “વહુ બેટા, દેરે જઈ આવે. કામ તે થયા કરશે. વહેલુમડું આપણે જ કરવાનું છે ને!' બધી વાતે લીલાલહેર હતી. હું મારી સાસુજી સાથે થાનકે ઉપદેશ સાંભળવા જતી. આપણા અપાસરે મારાં સાસુ પણ આવતાં. બધી વાતે સાહાબી હતી, ત્યાં તમારા ઉત્સવની કંકોતરી આવી. એ અરસામાં મારા સસરેજી થાનકેથી આવીને એક દહાડો કહે, “અરે, આપણે ધરમ તે વિચારે. મનખાદેહ મળ્યો છે કે મળશે ! વહુથી દેરે ન જવાય.”
કોઈ કાંઈ ન બોલ્યું, પણ મારા મનમાં ફાળ પડી. “અરે, કદી નહિ ને આજ આ વાત ક્યાંથી નીકળી ! મારે તે દર્શનનું નીમ. બીજે દહાડે પણ બઈજી દહેરે જવાનું બેલ્યાં નહિ, મારે ઉપવાસ કરે પડ્યો. ત્રીજે દહાડે પણ નકોરડે ગયે. સાસુજીને વાતની જાણ થઈ. એ બેલ્યાં : “વહુ બેટા ! મારા મનને તે કંઈ ખેંચ નથી, પણ સહુને આ ભણતરવાળાઓએ ભૂત ભરાવ્યાં છે.' - “બઈજી, પણ મારે તે દર્શનનું નામ છે.”
“બેટા, નીમ આપનારે સમજીને નીમ આપ્યું હોત તે સારું. પાડપાડા લંડ ને ઝાડનો ખો નીકળે. વાર, પાછલી ખકીએથી જઈ આવો, ઝટ પાછાં વળજે ! તમારા સસરેજી ભારે લપી છે.”
થોડા દહાડા એમ ચાલ્યું. પણ તે દહાડે વાત ફૂટી. બંને પક્ષ તરફથી વગર પગારના ચાડિયા–ધરમની જાસૂસી કરનારા–ચાડી ખાવા ફરતા હતા. સસરાને જાણ થઈ. એમને અંગેઅંગે આગ લાગી ગઈ. તેમણે મારાં સાસુને ઊધડાં લીધાં : “ઘરમાં રહે છે કે વનમાં? આ વહુએ તે મહાજનમાં આપણનેય મેળ પાડ્યા. આમન્યામાં ન રહે એ વહુ-દીકરી શા કામની ? સોનાની પાળી ભેટ ઘલાય, પેટમાં ન પોસાય.”