________________
૯૭૮
કંચન ને કામિની સંતાન ન થયાં તે ન થયાં. અને જેમ સંતાન ન થયાં તેમ દાદાદાદીનાં હેત નાગરવેલ જેવી સુકુમાર દીકરી પર ઊભરાતાં રહ્યાં.
દીકરી કંઈ દૂર દેશાવર તે દીધી નહતી, પણ આગગાડી એ વેળા હજી બધે ઠેકાણે આવી નહોતી. ત્રણ દહાડાના રસ્તે સાંકળીબા દીધેલાં. તેય દાદા-દાદીને દૂરની વાટ લાગે. છતાંય એક વાતની ભારે મજા. સાંકળીબાનું સાસરું સાધુ અતિથિની સેવા કરનારું. કોઈ મુનિરાજ આવ્યા, પછી એ દેરાવાસી હોય કે થાનકવાસી પણ તેડી લાવી ભારે વૈયાવચ્ચ (સેવાચાકરી) કરે ! એ મુનિરાજે જ્યારે અમારા ગામમાં આવે ત્યારે દાદા ખાસ સાંકળીબાના સમાચાર પૂછે. વાતવાતમાં એમ પણ પૂછે કે “સાંકળી કાંઈ સુકાયેલી તો નહોતી લાગતીને !” | મુનિરાજ કહેઃ “શેઠ, દીકરી દીધા પછી પણ મનની આ ખેંચતાણ શી ! આ તે અર્જુનના ધનુષ્યનું બાણ! ફેંક્યું, એ ફેંક્યું, પછી કંઈ પાછું ખેંચાય છે!”
તમે ન સમજે સ્વામીજી. આ તે મનની પ્રીતું છે. લોઢાની સાંકળ તોડવી સહેલ છે, પણ સ્નેહની સાંકળ કાચા સૂતરની હોય તેય ડવી મુશ્કેલ છે.”
પણ એ પછી તો વર્ષો વીતી ગયાં. અમે પણ મોટા થયા ને ભણવા બેઠા. દાદાની આંખે ઝાંખપ આવી, ને લાકડીને ટેકે ચાલવા માંડ્યું. હિસાબ કિતાબમાંય હવે ઝાંખા અક્ષરે એમની નજરે પડવા ન લાગ્યા.
[૨] એક દહાડે રૂખી રબારણને વટલેઈ લઈને ડહેલીમાંથી જતી જોઈ દાદાએ પૂછયું, “કોણ ?”
રૂખી દાદાની લાજ કાઢે. દાદીએ કહ્યું : “એ તે રૂખી છે.” “વટલેઈમાં શું આપ્યું ?'