________________
સાંકળી ફઈબા
૭૫
અમને ખબર છે કે દાદાએ દીકરી માટે જાતજાતની ખાધા માનતા પણ રાખેલી. દર અજવાળી પૂનમે ચક્રેશ્વરી દેવીને ચૂંદડી ચઢાવે પણ ચૂંદડીની એઢનારી એમને ત્યાં અવતરે જ નહિ !
(
લોક આ જાણીને હસતું, કાઈ કહેતું : દાદા, લોક તો દીકરીને. ‘ પથરે પેટ પડવો ' એમ કહે, ને તમે કાં દીકરી દીકરી ઝંખા ?'
‘લોક તે ગાંડું છે. લોકને જોઈ ને વીએ તો જિવાય નહિ. ભાઈ, શું કહું તમને ? મારા બાપનેય દીકરી નહેાતી. વીરા-વીરીનાં હેત તે। અમૃત વીરડી જેવાં ! એવા જ બાપ-બેટીના હેતભાવ ! આ સવારથિયા સંસારમાં બહેનડી ને બેટડી, ખારાપાટની મીઠી જળવીરડી ! ’ દાદાના શબ્દોમાંથી જાણે ભાવ ટપકતા.
લેક આ ડાઘા દાદાની ગાંડી ઘેલુહા પર હસતાં, પણ દાદા કહેતા : ‘ મારે તે જેમ ડાબી-જમણી એ આંખા એમ મારી નજરમાં દીકરા-દીકરી બેય સરખાં. એમાંથી કઇ આપણને સ્વર્ગ અપાવી દેવાનુ નથી. લેણાદેણી હાય એટલી લેવાય-દેવાય. કાનાં છે ને કાનાં વાછરું', સંસારમાં તે સહુને સ્વાના સ્નેહ છે. દીકરી મેાટી થશે તે સાસરે જશે. દીકરા મેાટા થઈને, કમાતા થઈ પેાતાની વહુને લઈ જુદું ધર માંડશે. દીકરી તે આખું લેનારી, પણ દીકરા તે પેટી પટારા, સંચ, ખાતાંપતરાં સંધુ શોધ્યા કરવાના, બધુંય લેવા ઝંખવાના, ને લીધે જપવાના. એમને નહિ મળે તેા કરડવા દોડશે. એ વેળા દુઃખના દહાડા નહિ ખૂટે ! ભગવાન તે વળી માગ્યાં માત આપે જ કયારે છે ? એ દી એકલવાયા ખૂટ્ટા બાપના થાકયાપાકયા હૈયાની આળપંપાળ કાઈ કરશે તે। દીકરી કરશે’
"
ધરડે ઘડપણ દીકરા તમને પાળશે, દીકરી નહિ ! દીકરી ગમે તેવી હાય, તેાય પારકા ઘરની લક્ષ્મી.' કાઈ દાદાને ખિલવવા વચ્ચે ટકાર કરતું.