SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૫ પંચમકાળ | સંબંધિત શિર્ષક: ખેદ પહેરવેશ T સાદા પોશાકને ચાહું. (પૃ. ૧૪૧) D પહેરવેશ આછકડો નહીં છતાં સુઘડ એવી સાદાઈ સારી છે. આછકડાઇથી પાંચસોના પગારના કોઈ પાંચસો એક ન કરે, અને યોગ્ય સાદાઇથી પાંચસોના ચારસો નવાણું કોઇ ન કરે. (પૃ. ૬૬૧) પંચમકાળ T જિનેશ્વરે એ કાળચક્રના બે ભેદ કહ્યા છે. ૧. ઉત્સર્પિણી, ૨. અવસર્પિણી. એકે ભેદના છ છ આરા છે. આધુનિક વર્તન કરી રહેલો આરોપંચમકાળી કહેવાય છે અને તે અવસર્પિણી કાળનો પાંચમો આરો છે. અવસર્પિણી એટલે ઊતરતો કાળ; એ ઊતરતા કાળના પાંચમા આરામાં કેવું વર્તન આ ભરતક્ષેત્રે થવું જોઇએ તેને માટે પુરુષોએ દલાક વિચારો જણાવ્યા છે, તે અવશ્ય જાણવા જેવા છે. એઓ પંચમકાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે. નિગ્રંથ પ્રવચન પરથી મનુષ્યોથી શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મનાં મુળતત્ત્વોમાં મતમતાંતર વધશે. પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. જનસમૂહની રુચિ અધર્મ ભણી વળશે. સત્ય, દયા હળવે હળવે પરાભવ પામશે. મોહાદિક દોષોની વૃદ્ધિ થતી જશે. દંભી અને પાપિષ્ઠ ગુરુઓ પૂજ્યરૂપ થશે. દુષ્ટવૃત્તિનાં મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. આત્મિક જ્ઞાનના ભેદો હણાતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાનક્રિયા બહુધા સેવાશે. વ્યાકુળ વિષયોનાં સાધનો વધતાં જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. શૃંગારથી ધર્મ મનાશે. ખરા ક્ષત્રિયો વિના ભૂમિ શોકગ્રસ્ત થશે; નિર્માલ્ય રાજવંશીઓ વેશ્યાના વિલાસમાં મોહ પામશે; ધર્મ, કર્મ અને ખરી રાજનીતિ ભૂલી જશે; અન્યાયને જન્મ આપશે; જેમ લૂંટાશે તેમ પ્રજાને લૂંટશે. પોતે પાપિષ્ઠ આચરણો સેવી પ્રજા આગળ તે પળાવતા જશે. રાજબીજને નામે શૂન્યતા આવતી જશે. નીચ મંત્રીઓની મહત્તા વધતી જશે. એઓ દીન પ્રજાને ચૂસીને ભંડાર ભરવાનો રાજાને ઉપદેશ આપશે. શિયળ ભંગ કરવાનો ધર્મ રાજાને અંગીકાર કરાવશે. શૌર્યાદિક સદ્ગુણોનો નાશ કરાવશે. મૃગયાદિક પાપમાં અંધ બનાવશે. રાજ્યાધિકારીઓ પોતાના અધિકારથી હજારગુણી અહંપદતા રાખશે. વિપ્રો લાલચ અને લોભી થઇ જશે: સદ્ધિઘાને દાટી દેશે: સંસારી સાધનોને ધર્મ ઠરાવશે. વૈશ્યો માયાવી, કેવળ સ્વાર્થી અને કઠોર દ્ધયને થતા જશે. સમગ્ર મનુષ્યવર્ગની સવૃત્તિઓ ઘટતી જશે. અકૃત અને ભયંકર કૃત્યો કરતાં તેઓની વૃત્તિ અટકશે નહીં. વિવેક, વિનય, સરળતા ઇત્યાદિક સદ્ગણો ઘટતા જશે. અનુકંપાને નામે હીનતા થશે. માતા કરતાં પત્નીમાં પ્રેમ વધશે; પિતા કરતાં પુત્રમાં પ્રેમ વધશે; પતિવ્રત નિયમપૂર્વક પાળનારી સુંદરીઓ ઘટી જશે. સ્નાનથી પવિત્રતા ગણાશે; ધનથી ઉત્તમકુળ ગણાશે. ગુરુથી શિષ્યો અવળા ચાલશે. ભૂમિનો રસ ઘટી જશે. સંક્ષેપમાં કહેવાનો ભાવાર્થ કે ઉત્તમ વસ્તુની ક્ષીણતા છે; અને કનિષ્ઠ વસ્તુનો ઉદય છે. પંચમકાળનું સ્વરૂપ આમાંનું પ્રત્યક્ષ સૂચવન પણ કેટલું બધું કરે છે? મનુષ્ય સદ્ધર્મતત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે, સંપૂર્ણ તત્ત્વજ્ઞાન નહીં પામી શકે; જંબુસ્વામીના નિર્વાણ પછી દશ નિર્વાણી વસ્તુ આ ભરતક્ષેત્રથી વ્યવચ્છેદ ગઈ.
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy