SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ ઈશ્વરેચ્છા લેજે. (પૃ. ૫) — સંબંધિત શિર્ષકો : અદ્વૈત, જિન, તીર્થંકર, દેવ, ભગવાન, મહાત્મા, મોટાપુરુષ, વીતરાગ, સવ, સત્પુરુષ, સિદ્ધ ઈશ્વરેચ્છા આત્માને વિષે વર્તે છે એવા જ્ઞાનીપુરુષો સહજપ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. જ્ઞાનીને ‘પ્રારબ્ધ’ ‘ઇશ્વરેચ્છાદિ’ બધા પ્રકારો એક જ ભાવના, સરખા ભાવના છે. તેને શાતા અશાતામાં કંઇ કોઇ પ્રકારે રાગદ્વેષાદિ કારણ નથી. તે બન્નેમાં ઉદાસીન છે. જે ઉદાસીન છે, તે મૂળ સ્વરૂપે નિરાલંબન છે. નિરાલંબન એવું તેનું ઉદાસપણું એ ઇશ્વરેચ્છાથી પણ બળવાન જાણીએ છીએ. ‘ઇશ્વરેચ્છા' એ શબ્દ પણ અર્થાંતરે જાણવા યોગ્ય છે. ઇશ્વરેચ્છારૂપ આલંબન એ આશ્રયરૂપ એવી ભકિતને યોગ્ય છે. (પૃ. ૩૩૩-૪) ‘ઇશ્વરેચ્છા' જેમ હશે તેમ થશે. વિકલ્પ ક૨વાથી ખેદ થાય; અને તે તો જયાં સુધી તેની ઇચ્છા હોય ત્યાં સુધી તે પ્રકારે જ પ્રવર્તે. સમ રહેવું યોગ્ય છે. (પૃ. ૩૩૭) D જે ઇશ્વરેચ્છા હશે તે થશે. માત્ર મનુષ્યને પ્રયત્ન કરવાનું સરજેલું છે; અને તેથી જ પોતાના પ્રારબ્ધમાં હોય તે મળી રહેશે. માટે મનમાં સંકલ્પ વિકલ્પ કરવા નહીં. (પૃ. ૩૮૭) ઇશ્વરેચ્છા પ્રમાણે જે થાય તે થવા દેવું એ ભકિતમાનને સુખદાયક છે. (પૃ. ૨૮૦) D એક વાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શિત પણ ઉપશમ થાય ત્યારે જે ઇશ્વરેચ્છા હશે તે થશે. (પૃ. ૩૫૩)
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy