SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ધર્મબીજ (શુક્લધ્યાન) ધરવા માટેની યોગ્યતા પ્રગટ થાય છે. પ્રમોદભાવનાનો અભ્યાસ વધતો જાય છે તેમ તેમ મન અધિક અધિક પ્રસન્ન અને એકાગ્ર બને છે. તેથી આત્મિક આનંદમાં અપૂર્વ વૃદ્ધિ થાય છે. જે ગુણીઓના ગુણો પ્રત્યે પ્રમોદને ધારણ કરે છે, તેના પર તે મહાત્માઓની અપૂર્વ કરુણા ઊતરે છે અને તેથી અન્ય આત્માઓના પણ પ્રમોદનું તે પાત્ર બને છે. પ્રમોદને વાણી દ્વારા ઉચિત સ્થાને વ્યક્ત કરવાથી વાણી પવિત્ર બને છે. પ્રમોદભાવનાથી ગુણોને શોધવાની વૃત્તિ જાગે છે. જે જે રીતે આપણો પ્રમોદભાવ વધે, તે તે રીતનો તે માટે ઉપયોગ કરી શકાય છે. આ પ્રમોદભાવનાની સાધનાના પરમોત્કૃષ્ટ સાધનભૂત શ્રી નમસ્કાર મહામંત્રને હૃદયમાં સંદેવ ધારણ કરવો જોઈએ. પ્રમોદભાવનાસ્વરૂપ શ્રી નમસ્કાર મહામંત્ર આપણને શાસ્ત્રોમાં તે તે અતિગૂઢ રહસ્યોને સમજાવશે કે જેનાથી આપણે શીવ્રતઃ પરમકલ્યાણનાં ભાજન બનીશું. સર્વ જીવો પ્રમોદભાવનાથી પરાકાષ્ઠાને પામીને પરમપ્રમોદમય એવા મુક્તિપદને વરો, એ શુભેચ્છા !
SR No.005961
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy