________________
પ્રમોદભાવના
૫૩ ૩૧. સર્વત્ર પ્રમોદને વિકસાવો : જે ધર્મસ્થાનોમાં અનેક આત્માઓ ભેગા થાય છે. ત્યાં પ્રમોદભાવનાનાં સાક્ષાત્ દર્શન કરનારા મહાનું આત્માઓ તે કોલાહલથી ઉદ્વેગ પામતા નથી, પણ પોતાના પ્રમોદને વિકસાવે છે. બીજાની નાનામાં નાની ધર્મક્રિયા તરફ પણ પ્રમોદ ધારણ કરવો જોઈએ. તે જીવમાં દેખાતા ભવ્યત્વનાં દર્શન કરવાં જોઈએ. નાના બાળક મુનિને ભલે પૂરી સમજ વિના વંદન કરતો હોય, છતાં તેની નાની ક્રિયા પણ આ ભવસાગરમાં બહુ જ થોડા આત્માઓને પ્રાપ્ત થાય છે, તે ક્રિયા પણ બાળકના ભવિષ્યની મહાન ઉન્નતિનું કારણ છે, એમ વિચારી તેની નાની ક્રિયાની પણ આંતરિક અનુમોદના કરવી જોઈએ. તત્ત્વતઃ આ અનુમોદના તે ક્રિયાને બતાવનારા શ્રી અરિહંત પરમાત્મા પ્રત્યેનો પ્રમોદભાવ જ છે.
- ૩૨. ધર્મનાં આલંબનો : “જિનાલય વગેરે ધર્મનાં આલંબનો સંસાર-સાગરને તરવા માટેની નૌકાઓ છે' ઇત્યાદિ ધર્મનાં આલંબનો પ્રત્યેનો પ્રમોદ જીવને અશુભ આલંબનોથી બચાવે છે અને જ્યાં સારાં આલંબનો મળે ત્યાં જન્મ અપાવે છે. તે જન્મોમાં પણ તેને શુભ આલંબનો જોઈને પ્રમોદ જાગે છે અને તેથી ઉપાર્જન થતા પુણ્યને યોગે ઉત્તરોત્તર પુણ્યાનુબંધી પુણ્યના હેતુભૂત શુભ આલંબનો મળતાં જાય છે. શ્રી તીર્થકરોના સમાગમ વગેરે પણ શુભ આલંબનો પ્રત્યેના પ્રમોદનું ફળ છે.
કેટલાક જીવો અપરિપક્વ દશાના યોગે અત્યંત ઉપકારક એવા આગમ-સ્વાધ્યાય વગેરે શુભ આલંબનોની ઉપેક્ષા કરીને કેવળ આત્મધ્યાનમાં લાગી જાય છે. તેમને એમ થઈ જાય છે કે તત્કાળ જ મને સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થશે, પણ જ્યારે સિદ્ધિઓ દેખાતી નથી અને આત્મધ્યાન ટકતું નથી, ત્યારે તેમની નિરાશાનો પાર રહેતો નથી. આત્મધ્યાનમાં આરૂઢ થવા માટે શુભ આલંબનો પ્રત્યેનો આદર ઉપકારક છે. આદરથી વિદનોનો નાશ થાય છે. આ વિદનનાશ થાનાદિના આરોહણ વખતે થતા ભ્રંશથી બચાવે છે.
૧. પુણ્યાનુબંધિપુણ્ય = ધર્મ અને સુખ બંને આપનારું પુણ્ય. આ પુણ્યથી ઉત્તરોત્તર ધર્મ અને
સુખ વધતાં જ જાય છે. २. आलंबनादरोद्भूत-प्रत्यूहक्षययोगत: । ध्यानाद्यारोहाणभंशो, योगिनां नोपजायते ।।
[અધ્યાત્મસાર, ધ્યાનાધિકાર, ૩૩]