SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમોદભાવના ૫૧ ૨૭. અનુષ્ઠાનોમાં રહેલી પ્રમોદભાવના ઃ સર્વ ધર્મઅનુષ્ઠાનો પ્રમોદ- ભાવથી ઓતપ્રોત છે. કોઈ પણ અનુષ્ઠાનની શરૂઆત પ્રાયઃ ખમાસમણ થી થાય છે, ખમાસમણ’ એ પ્રમોદભાવના પ્રદર્શિત કરવાનો જ એક પ્રકાર છે, કાયોત્સર્ગમાં જિનેશ્વરોનું અથવા પંચપરમેષ્ઠિનું ધ્યાન હોય છે, તે પણ પ્રમોદભાવનો જ વિષય છે. પ્રત્યેક ક્રિયા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને લક્ષ્યમાં રાખીને કરવાની છે. ક્રિયાના પ્રારંભથી અંત સુધી જેનું ચિત્ત તે ક્રિયાને બતાવનાર શ્રી જિનેશ્વરદેવના ધ્યાનથી અલંકૃત હોય તેની જ ક્રિયા ભાવક્રિયા (અમૃતક્રિયા) બને છે. ક્રિયાને બતાવનારા શ્રી જિનેશ્વરદેવનું પ્રણિધાન એ પ્રમોદભાવના છે. ક્રિયાને અમૃતમય બનાવનાર પણ તે જ છે. ક્રિયાની પૂર્ણાહુતિ પછી પણ થયેલ સુકૃતની અનુમોદનારૂપ પ્રમોદથી તે ક્રિયાનું ફળ વધતું જ જાય છે. ૨૮. અનુષ્ઠાનોના પ્રકારો અને પ્રમોદભાવનાઃ અનુષ્ઠાનોના પાંચ પ્રકાર છે, તેની વ્યાખ્યાઓનું સૂક્ષ્મ દૃષ્ટિએ અવલોકન કરવાથી પણ પ્રમોદભાવનાનું મહત્ત્વ સમજાય તેમ છે. તે પ્રકારો વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન, અનનુષ્ઠાન, તદ્ધતું અનુષ્ઠાન અને અમૃતાનુષ્ઠાન છે. ઇલૌકિક કીર્તિ આદિ સ્પૃહાથી કરવામાં આવે, તે વિષાનુષ્ઠાન છે. પારલૌકિક દિવ્ય ભોગાદિની ઝંખનાથી કરવામાં આવે તે ગરાનુષ્ઠાન છે. ગાડરિયા પ્રવાહની જેમ ઉપયોગ વિના કરાય, તે અનનુષ્ઠાન છે. મુક્તિના અનુરાગથી અને શ્રી તીર્થકરાદિ પ્રત્યે બહુમાનપૂર્વક કરાય, તે તદ્ધતુ અનુષ્ઠાન છે. આ અનુષ્ઠાન આગળના અમૃત અનુષ્ઠાનનો હેતુ છે. “આ સદનુષ્ઠાન શ્રી જિનેશ્વર ભગવંતોએ કહેલું હોવાથી એકાંતે કલ્યાણને કરનારું છે.” એવી શુદ્ધ શ્રદ્ધાપૂર્વક, તીવ્ર મોક્ષાભિલાષપૂર્વક મનના પરમ ઉલ્લાસસહિત અને યથોક્ત રીતે કરાય તે અમૃત અનુષ્ઠાન છે. આ અનુષ્ઠાનોમાં પૂર્વનાં ત્રણ ત્યાજ્ય છે અને અંતિમ બે આદરવા લાયક છે. છેલ્લાં બેને આદરણીય બનાવનાર તેમાં રહેલી પ્રમોદભાવની માત્રા છે. તદ્ધતુ અનુષ્ઠાનમાં પ્રમોદભાવ સંપૂર્ણ વિકસિત હેતો નથી, જ્યારે અમૃતાનુષ્ઠાનમાં તે પૂર્ણ પ્રકર્ષને પામેલો હોય છે. ૧. ખમાસમણ-વંદન ક્રિયા. “જુઓ પ્રતિક્રમણ સૂત્ર'. ૨. કાયોત્સર્ગ = એક પ્રકારની ધ્યાનપૂર્વકની મુદ્રા. ૩. ભાવક્રિયા, અમૃતક્રિયા = મોક્ષપર્યન્ત લઈ જનારું સદનુષ્ઠાન.
SR No.005961
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy