________________
૪૨
ધર્મબીજ ૧૦. શ્રી કૃષ્ણ મહારાજની ગુણદષ્ટિ ઃ ઉદ્યાનના માર્ગ પર એક સડેલું કૂતરું મરણ પામ્યું હતું. તેની દુર્ગધ ચારે દિશાઓમાં ફેલાઈ રહી હતી અને તેથી એ રસ્તેથી જતા સહુ કોઈ પોતાના નાકને કપડાથી દબાવતા હતા. એવામાં શ્રી કૃષ્ણ ત્યાંથી નીકળ્યા. તેમણે એ કૂતરાને જોઈને વિચાર્યું કે “અહો ! આ મૃત શ્વાનના મુખમાં રહેલ પણ શ્વેત દંતપંક્તિ મુક્તાવલી જેવી કેટલી સુંદર છે.” કેવી અદ્ભુત ગુણગ્રાહકતા !
૧૧. ગુણદષ્ટિ સંવરરૂપ છેઃ આશ્રવનો સંવર કરનાર ગુણદૃષ્ટિ છે અને સંવરને પણ આશ્રવરૂપે ફેરવી નાખનાર દોષદષ્ટિ છે. એક સ્મશાનમાં એક રૂપવતી યુવતીનું કલેવર પડ્યું હતું. એક કૂતરું ત્યાં આવ્યું, તેને લાગ્યું કે, “અહો ! કેવું મારું ભાગ્ય ! ઘણા દિવસ પછી આવો સરસ ખોરાક મળ્યો.” એવામાં ત્યાં એક તીવ્ર કામી પુરુષ આવી ચડ્યો, તેણે વિચાર્યું કે, “આ સ્ત્રી જો જીવતી હોત, તો કેવું સારું થાત!” તેવામાં બાજુના રસ્તેથી એક યોગી મહાત્મા જતા હતા, તેમણે વિચાર્યું કે કેવી ક્ષણભંગુરતા અને અશુચિતા આ દેહની ? આ સ્ત્રી જે લાવણ્યથી મદમાં મહાલતી હશે, તેની આજે કેવી દશા ? વસ્તુ માત્ર અનિત્ય છે' એમ તેઓ અનિત્ય ભાવનામાં ચડ્યા. આલંબન તો એક જ હતું- મડદું. પણ કૂતરાને અને કામીને તે આશ્રવનું કારણ બન્યું, કારણ કે દોષદષ્ટિ હતી, જ્યારે યોગી મહાત્મા માટે તે જ સંવરનું સાધન બન્યું, કારણ કે તેઓ ગુણદષ્ટિવાળા હતા.
૧૨. ઉપમાઓના મૂળમાં રહેલી ગુણદૃષ્ટિઃ જગતના કોઈ પણ સારા સાહિત્યમાં કહેલી ઉપમાઓ અને રૂપકો તરફ આપણે દૃષ્ટિ કરીએ તો તેના મૂળમાં રહેલી છે તે લેખકોની કે કવિઓની ગુણદૃષ્ટિ આપણને દેખાશે. ભગવાન શ્રી મહાવીરદેવની સાધનાકાળનું વર્ણન કરતાં કલ્પસૂત્રકાર ભગવંત જણાવે છે કે –
___ 'संखे इव निरंजणे, गगणमिव निरालंबणे, वाउच्व अपडिबद्धे, सारयसलिलं व सुद्धहियए, पुक्खरपत्तं व निरुवलेवे, कुम्भो इव गुत्तिदिए, सीहो इव दुरिसे, मंदरो इव अप्पकंपे, सागरो इव गंभीरे, चंदो इव सोमलेसे, सूरो इव दित्ततेए, जच्चकणगं व નાચવે..”
તે વખતે શ્રમણ ભગવાન શ્રી મહાવીર શંખ જેવા નિરંજન,