________________
૩૦.
- ધર્મબીજ વેપારીનું મન અશુભ વિચારોમાં ભમવા માંડ્યું. તેણે એક વખત વિચાર્યું કે રાજા અથવા કોઈ રાજકુટુંબી મરે તો તેની ચિતા માટે થોકબંધ ચંદન ખપે. આવી જાતના અમૈત્રીભર્યા અનેક વિચારોએ તેના મનનો કબજો લીધો.
એક વખત રાજા રથમાં બેસીને તે વેપારીની દુકાન પાસેથી પસાર થયો, પણ કોણ જાણે કેમ? ન તો એ ચંદને તેને આકળે કે ન એ વેપારી ઉપર જરા ય ઉમળકો આવ્યો. વેપારીએ પણ સંભ્રમમાં એકદમ ઊભા થઈને સલામ ભરી, પરંતુ તેના મુખ પર પૂર્વના જેવો પૂજ્યભાવ ન હતો. વેપારીની બૂરી દાનતનો પ્રભાવ જાણે રાજાના અંતર પર પડતો ન હોય, તેમ રાજાના મનમાં તેના પ્રત્યે દ્વેષ જાગવા લાગ્યો.
રાજા અનેક વખત તેની દુકાન પાસેથી પસાર થતો, કિન્તુ તે વેપારી પ્રત્યે અણગમો થતો. એમ એક વરસ પસાર થઈ ગયું.
પુનઃ નવા વરસના પ્રથમ દિવસે દરબાર ભરાયો. પ્રજા જુદી જુદી જાતનાં ભેદણાં ઘરવા લાગી. અનુક્રમે ચંદનના વેપારીનો વારો આવ્યો. તે ભેટ ધરવા ગયો કે રાજાએ પોતાનું મુખ ફેરવી લીધું. રાજાના મુખ પર ખેદ છવાઈ ગયો. તેના મનમાં એવું થઈ ગયું કે વેપારીને કડકમાં કડક સજા કરું, પણ ગુનો જાણ્યા વિના નીતિપરાયણ રાજા શી રીતે સજા કરી શકે ? મહામુશ્કેલીથી રાજાએ ક્રોધ દબાવ્યો અને ઉપર ઉપરથી પ્રસન્નતા બતાવી. સાંજના દરબાર વિખેરાઈ ગયો.
રાજાએ મનમાં ઉત્પન્ન થયેલ વૈમનસ્યને એકાન્તમાં મંત્રી આગળ વ્યક્ત ક્યું અને તેનું કારણ પૂછ્યું. મંત્રીએ કહ્યું, “છ મહિનામાં હું આપને એનો જવાબ આપીશ.”
પ્રધાને ધીમે ધીમે પેલા વેપારી સાથે મેળ સાધ્યો અને એક દિવસે વાતવાતમાં તેણે વેપારીના મનમાં જાગેલા અશુભ ભાવોને જાણી લીધા.
પ્રધાન ઉદાર હતો, તેનું હૈયું ધર્મમય હોવાથી મૈત્રીથી પરિપૂર્ણ હતું. રાજા કે વેપારી કોઈને પણ હાનિ ન થાય તે રીતે તેણે કાર્ય સાધવા માંડ્યું.
રાજાના રસોઇયાને મંત્રીએ ચંદનનાં લાકડાંથી રોજ રસોઈ કરવાનું ફરમાવ્યું. રસોઇયો તો આદેશનો ચાકર ! કાંઈ પણ બોલ્યા વિના તે તેમ કરવા