________________
મૈત્રીભાવના
૨૧
વ્યક્તિગત સુખ માટે અમે જગત પાસેથી કંઈ પણ ઇચ્છીશું નહીં, કે માગીશું પણ નહીં, અમારી વ્યક્તિગત માલિકીનું અમારી પાસે કશું જ નથી. જે કંઈ અમારી પાસે સારું છે તે બધું શ્રી વીતરાગ ભગવંતના વિરાટ શાસનનું છે. જો બધું શાસનનું જ છે, તો પછી તેની સેવામાં તેનું સમર્પણ કરવામાં સંકોચ શો ?’’
આ વિશ્વમાં જે કોઈ અમારા પર અપકાર કરવાની ઇચ્છા કરશે તેના ઉપર પણ અમે સૌથી વધારે કરુણા કરીશું, તેને અમે અમારો સાચો મિત્ર માનીશું, અમે કોઈને દુઃખ આપીશું નહિ, પણ જે કોઈ અમને દુઃખ આપશે, તેને સૌથી વધારે સુખ આપીશું.'
આ વિશ્વમાં જે જેવું જેવું આપણી સામે આવે છે, તેવું જ તેને આપણે માની લઈએ છીએ, આપણે બ્રાહ્મણને બ્રાહ્મણ માનીને, ચાંડાલને ચાંડાલ માનીને, ધનીને ધનવાન માનીને, ભિખારીને ભિખારી માનીને, કે નોકરને નોકર માનીને તેની સાથે તેવો વ્યવહાર કરીએ તે વાજબી છે, પણ આપણા આ વ્યાવહારિક વર્તાવમાં જો રાગદ્વેષ રહેલો હોય તો આપણે ભૂલીએ છીએ, આપણે જેને ચાંડાલાદિ કહીએ છીએ તે શું તત્ત્વતઃ ચાંડાલ છે ? ના, ના, કદાપિ નહીં. તેના આત્મામાં તો આ વિશ્વમાં વિલસતું નિર્મલ ચૈતન્ય છે. જેવો નિર્મલ આત્મા શ્રી અરિહંત પરમાત્માનો, શ્રી સિદ્ધપરમાત્માનો, કે આપણો પોતાનો છે તેવો જ નિશ્ચયથી તેઓનો પણ છે. આપણે તેની બાહ્ય ઉપાધિઓને (શરીર, વેશ, વગેરેને) જોઈએ છીએ તેમ અંદર રહેલા સ્વયંપ્રકાશ, ચિત્રૂપ અને પરમાનંદતત્ત્વને પણ જોતાં શીખીને અને પ્રત્યેક પ્રાણીમાં રહેલું તે તત્ત્વનું હૃદયપૂર્વક સન્માન કરીએ તો આપણા વ્યવહારમાંના અ ંત્વ, તુચ્છત્વ વગેરે દોષો નાશ પામે અને પ્રત્યેક વ્યવહાર સ્વ-પર ઉપકારી બને. પોતાના જેવા સ્વરૂપને સર્વત્ર જોતો આપણો આત્મા બીજાઓને જોઈને આનંદ પામે, તેમના આનંદમાં વૃદ્ધિ કરે, તેમને પ્રતિકૂલ એવું કદી પણ ન આચરે, સૌનો કલ્યાણમિત્ર બને અને બીજાઓનાં હિતમાંય પોતાનું હિત છે એમ સમજે !
આવો, આપણે બધા મળીને રોજ (નીચેની) મૈત્રીભાવનાથી આપણાં હૃદયને વિશાળ અને પવિત્ર બનાવીએ ઃ
હું સર્વનો મિત્ર છું, બધા મારા મિત્ર છે, કોઈ પણ જીવ પાપ ન