________________
૧૨
ધર્મબીજ તેઓના જીવનપ્રસંગો પર ચિંતન કરીને સાધકે પોતાના આત્માને મૈત્રીથી ભાવિત કરતા રહેવું જોઈએ.
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનના પૂર્વભવોમાં મૈત્રીભાવનાનો ક્રમશઃ વિકાસ દેખાય છે. કમઠ જેવો દુરાત્મા જેમ જેમ નિર્દય બનતો જાય છે તેમ તેમ શ્રી પાર્શ્વનાથ ભગવાન જેવા લોકોત્તમ પુરુષ પોતાના હૃદયને મૈત્રીભાવના દ્વારા અત્યન્ત કોમળ બનાવતા જાય છે. વૈરની સામે વૈરથી નહીં, પરન્તુ મિત્રતાથી તેઓ જીત મેળવે છે. શત્રુનું પણ કલ્યાણ જ ઇચ્છનાર એવા સપુરુષો જ ખરેખર આ વસુંધરાનાં આભૂષણો છે.
શ્રી શાંતિનાથ ભગવાનના દશમા ભવમાં પારેવાનો પ્રસંગ પણ મૈત્રીભાવનાનું એક અલૌકિક દૃષ્ટાંત પૂરું પાડે છે. એક પક્ષીને બચાવવા માટે પોતાના શરીરનું સર્વ માંસ પોતાના હાથે જ કાપી આપનાર મેઘરથ રાજાની એ સુંદર મૈત્રીભાવનાને કેટલો ધન્યવાદ અપાય !
અનંતલબ્લિનિધાન ગણધર ભગવાન શ્રી ગૌતમ સ્વામીના જીવનમાં પણ મૈત્રીભાવની સિદ્ધિ દેખાય છે, તેમણે પૂર્વ જન્મોમાં મૈત્રીભાવનાની સુંદર સાધના કરેલી હોવી જોઈએ. જેના પ્રત્યેક શિષ્યને કેવળજ્ઞાન થાય તે વ્યક્તિનું પૂર્વજીવન વાત્સલ્યપૂર્ણ (મૈત્રીભાવનામય) હોય, એમાં આશ્ચર્ય જ શું છે ?
જ્યારે કોઈ અપરિચિત વ્યક્તિને પણ આપણા પ્રત્યે પ્રેમ થાય છે, ત્યારે પૂર્વ ભવોમાં આપણે તેના પ્રત્યે કેળવેલો સ્નેહ તેમાં કારણ હોય છે. જેણે પૂર્વ જન્મોમાં મૈત્રીભાવનાથી પોતાના આત્માને ભાવિત કરેલો હોય છે, તેને જોતાં બીજા જીવોને પણ આનંદ થાય છે. જેણે પૂર્વ જન્મોમાં દ્વેષ કેળવેલો હોય છે તે વ્યક્તિ અન્ય ભવોમાં સામાન્યતઃ દ્વેષી થાય છે અને પોતાને તથા બીજાઓને પણ ઉદ્વેગનું કારણ બને છે.
શ્રી ગૌતમસ્વામી પ્રત્યે પંદરસો તાપસીનું આકર્ષણ અકસ્માતું થયું નથી; કિન્તુ તેમાં તાપસોના જીવો પ્રત્યે પૂર્વે કેળવેલી મૈત્રી જ કારણ છે. પૂર્વભવમાં જો તે તાપસીના જીવો પ્રત્યે મૈત્રી ન કેળવી હોય તો તે તાપસો શ્રી ગૌતમસ્વામીથી આમ સહજમાં પ્રતિબોધ પામી શકે જ નહીં. એવા જ આશયને સામે રાખીને હલી-ખેડૂતને પ્રતિબોધ કરવા શ્રી વીરપ્રભુએ શ્રી ગૌતમગણધરને મોકલ્યા હતા.