SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબીજ આ વૈરની વૃત્તિઓનો પ્રવાહ આપણી અનેક શક્તિઓનો નાશ કરે છે અને પુણ્યને બાળી નાખે છે. કેવળ મૈત્રી ભાવના જ વૈરના આ પ્રવાહને ફેરવી શકે તેમ છે. મૈત્રીથી શક્તિઓનો લાસ અટકે છે એટલું જ નહિ, કિન્તુ નવી શક્તિઓ મળે છે. આ શક્તિઓ આપણને પરોપકારાદિ સત્કાર્યો માટે વધુ યોગ્ય બનાવે છે. મૈત્રીથી થતા લાભો મૈત્રી ભાવનાથી ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષની પ્રાપ્તિ થાય છે. જ્યાં બધા જ મિત્રો છે, ત્યાં ક્રોધ કોના પર અને શા માટે કરવો ? જ્યાં બધા જ સમાન છે, ત્યાં અભિમાન શેનું અને શા માટે કરવું ? જ્યાં મિત્રતા જ વર્તે છે, ત્યાં વંચના કોની, શા માટે ? અને જ્યાં સહૃદયતા છે, ત્યાં કોઈની પાસેથી કંઈ પણ લેવાની વૃત્તિ શા માટે ? તાત્પર્ય કે ક્રોધાદિ કષાયો પવિત્ર ભૂમિકા પર નિર્બળ થઈ જાય છે અને તેથી ચિત્તવૃત્તિઓ પવિત્ર બનતી જાય છે. પવિત્ર એવી ચિત્તવૃત્તિઓના અચિંત્ય પ્રભાવથી મૈત્રી ભાવનાનો સાધક ક્રોધ નહિ કરતાં ગમે તેવી પરિસ્થિતિમાં શાંત જ રહે છે. તે પોતાનાં રૂપ-ગુણ-ઐશ્વર્યાદિનું અભિમાન કરતો નથી, પણ નિરભિમાની રહે છે. તે કોઈ પણ જાતની માયા કરતો નથી, કિન્તુ સરલતાને જ ધારણ કરે છે, તેની પાસે કોઈ પણ જાતની માલ મિલકત ન હોય કે જીવનનિર્વાહનાં સાધનો અપર્યાપ્ત હોય તો પણ તે સંતોષનું પરમ સુખ અનુભવે છે. તેને કોઈ વાતનું દુઃખ હોતું નથી, કોઈ ચિંતા હોતી નથી, કે કોઈ પણ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અણગમો હોતો નથી, સઘળી સ્થિતિમાં તે આનંદ જ અનુભવે છે અને તેને સર્વત્ર પરમ શાંતિ હોય છે. મૈત્રીભાવનાથી થતા બીજા લાભો પણ ધ્યાનમાં રાખવા જેવા છે. ચિત્તમાં રહેલા બ્રેષાદિ મલો વસ્તુસ્વરૂપના યથાર્થ જ્ઞાનમાં પ્રતિબંધક બને છે. મૈત્રીભાવનાથી એ મલો ધોવાઈ જતાં નિર્મળ બોધની પ્રાપ્તિ થાય છે. વળી મૈત્રીભાવના વડે સર્વ પ્રાણીઓ તેના તરફથી નિર્ભય બને છે. અને પરિણામે તેને પણ સાર્વભૌમ નિર્ભયતા પ્રાપ્ત થાય છે. મૈત્રીભાવના હૃદયને કોમળ બનાવે છે, પુણ્ય મેળવી આપે છે અને સાધનામાં આવતાં વિનોની સામે થવા માટે અતુલ બળ આપે છે. વધુ શું કહીએ? મૈત્રીભાવના તીર્થંકરની ઋદ્ધિઓ પણ અપાવવા સમર્થ છે. મૈત્રીભાવના સમ્યગ્દર્શન, અને સમ્યફચારિત્રને અધિક અધિક નિર્મલ બનાવે
SR No.005961
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy