________________
ધર્મબીજ
પ્રેમ હોય છે. આવો જ પ્રેમ સર્વ જીવો પ્રત્યે રાખવો તે સાચું વિશ્વવાત્સલ્ય છે. આ વિધેયાત્મક મૈત્રીની વ્યાખ્યાઓ થઈ.
નિષેધાત્મક મૈત્રી એટલે જેનાથી બીજાને કોઈ પણ પ્રકારનું અલ્પ પણ દુ:ખ થાય તેવી મન, વચન કે કાયાની કોઈ પણ પ્રવૃત્તિનો ત્યાગ. જેમ કે કોઈનું પણ બૂરું ન ચિંતવવું વગેરે માનસિક નિષેધાત્મક, દુઃખકારક વચનો ન બોલવાં વગેરે વાચિક નિષેધાત્મક અને કાયા વડે કોઈને પણ પીડા ન કરવી એ કાયિક નિષેધાત્મક મૈત્રી છે. આવા જ પ્રકારો વિધેયાત્મક મૈત્રીના પણ સ્વમતિથી સમજી લેવા.
નિષેધાત્મક અને વિધેયાત્મક મૈત્રીને આ રીતે પણ વિચારી શકાય, જેમ કે -
—
અમૈત્રીથી આત્માને થતું નુકસાન વિચારવું જોઈએ અને તેથી અમેત્રી તરફ ચિત્તમાં અણગમો ઊભો કરવો જોઈએ. આ છે મૈત્રીની નિષેધાત્મકતા. મૈત્રીથી થતા ચિત્તપ્રસન્નતાદિ લાભો વિચારીને મૈત્રી તરફ આત્માની સંપૂર્ણ રુચિ કેળવવી તે મૈત્રીની વિધેયાત્મકતા છે.
‘જીવનની પ્રત્યેક અવસ્થામાં અમૈત્રી સર્વ રીતે નુકસાન કરનારી છે અને મૈત્રી સર્વ રીતે કલ્યાણ કરનારી છે' એવી ભાવના અત્યંત દઢ કરવી જોઈએ. જેમ આપણા જીવનમાં આપણને વાયુ, જલ વગેરે વિના ચાલી શકતું નથી, તેમ ‘મૈત્રી' વિના આત્માના ભાવપ્રાણો નાશ પામી રહ્યા છે' એમ આપણી સમજણમાં બરાબર બેસી જવું જોઈએ, મૈત્રીના વિચારોને એટલા બધા દૃઢ કરવા જોઈએ કે કોઈ પણ પ્રસંગમાં આપણા માટે મૈત્રી સહજ બને.
ઉપરની વ્યાખ્યાઓમાં ઉત્તરોત્તર સૂક્ષ્મતા છે. કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યજી ‘યોગશાસ્ત્ર’માં મૈત્રીભાવનાની વ્યાખ્યા કરતાં કહે છે કે
‘કોઈ પણ જીવ પાપ ન કરો, કોઈ પણ જીવ દુઃખી ન થાઓ અને સર્વ જીવો, કર્મથી મુક્ત થાઓ', એવી મતિ તે મૈત્રી ભાવના કહેવાય છે.
આ વ્યાખ્યામાં મૈત્રી ભાવનાનું પરિપૂર્ણ સ્વરૂપ આવી જાય છે. આ
૧.
मा कार्षीत्कोऽपि पापानि, मा च भूत् कोऽपि दु:खित: । મુખ્યતાં ગમàષ્લેષા, મતિમૈત્રી નિદ્યતે ।। યોગશાસ્ત્ર ૪-૧૧૮।।