________________
મૈત્રી ભાવના'
૧. મૈત્રી ભાવનાની પ્રધાનતા : ચારે ભાવનાઓમાં મૈત્રીભાવનાનું સ્થાન પ્રથમ છે, કારણ કે બીજી ભાવનાઓ મૈત્રીમાં સમાઈ જ જાય છે. જેમ કે પ્રમોદ એટલે ગુણીજનો પ્રત્યેની મૈત્રી-બહુમાનથી યુક્ત એવું ચિત્ત, કરુણા એટલે દુ:ખી કે ગુણહીન પુરુષો પ્રત્યેની મૈત્રી-અનુકંપાથી યુક્ત એવું ચિત્ત અને માધ્યસ્થ્ય એટલે નિર્ગુણ તથા દોષોથી ભરેલા એવા અવિનીત (ઉદ્ધત) જીવો પ્રત્યેની મૈત્રી, ઉપેક્ષાથી યુક્ત એવું ચિત્ત.
આ વિશ્વમાં એવો કોઈ પણ ધર્મ નથી કે જેણે ઓછાવત્તા અંશે મૈત્રીનો સ્વીકાર ન કર્યો હોય, વસ્તુતઃ મૈત્રીભાવનાના કારણે જ ધર્મ ધર્મ તરીકે ઓળખાય છે.
૨. મૈત્રીની બે બાજુઓ : મૈત્રીભાવનાની બે બાજુઓ છે. વિધેયાત્મક (Positive) અને નિષેધાત્મક (Negative). બીજા જીવોના હિતની ચિંતા તે પ્રથમ વિધેયાત્મક અને કોઈના પણ પ્રત્યે વૈર-વિરોધ ન રાખવાં તે બીજી નિષેધાત્મક મૈત્રી છે. આ બંને એક જ સિક્કાની બે બાજુઓ જેવી છે, બન્ને મળીને જ મૈત્રી પરિપૂર્ણ બને છે.
:
૩. મૈત્રીની વ્યાખ્યાઓ ઃ મૈત્રી એટલે વિશ્વપ્રેમ. વિશ્વના સર્વ આત્માઓ પ્રત્યે અમર્યાદ પ્રેમ રાખવો, મૈત્રી એટલે વિશ્વને મિત્રની આંખે જોવું. આપણે આપણા પરમ પ્રિય મિત્રને જોઈએ છીએ તે જ દૃષ્ટિથી વિશ્વના સર્વ આત્માઓને અવલોકવા તે મૈત્રી, સર્વ જીવો પર પોતાના વિષે પોતાના આત્મા કરતાં પણ અધિક પ્રેમ-સ્નેહ રાખવો તે મૈત્રી, માતાને પોતાના એકના એક પુત્ર પ્રત્યે જેવો સ્નેહ હોય છે, તેવો જ સ્નેહ જીવાત્માઓ પ્રત્યે કેળવવો તે મૈત્રી, અહીં વત્સ એટલે ગાયનું વાછરડું અને તેના પ્રત્યેનો પ્રેમ તે વાત્સલ્ય જાણવું. ગાયને પહેલી જ વાર જન્મેલા એક દિવસના વાછરડા પ્રત્યે બહુ જ
૧. વિશ્વબંધુત્વ, વિશ્વવાત્સલ્ય, Universal Love, Universal Brother-hood વગેરે મૈત્રીના પર્યાય શબ્દો છે.