SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્રતાનો સંદેશ ખ્યપણે ચાર (એથી વધારે ઉપકાર કરનારા પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય ૧. પરહિતચિંતામગ્રી : પોતાના સિવાય બીજાં પ્રાણીઓનું હિત ચિંતવવું તે મૈત્રીભાવના છે. પોતાના સિવાય બીજાં પ્રાણીઓ મુખ્યપણે ચાર પ્રકારનાં હોય છે : (૧) પોતાના ઉપર ઉપકાર કરનારા (સોથી થોડા), (૨) પોતાનાં સગાંવહાલાં (એથી વધારે), (૩), પોતાના પરિચિતો (એથી પણ વધારે) અને (૪) પોતાનાથી અપરિચિતો (સોથી વધારે), જે પોતાના ઉપકારીઓનાં હિતની ચિંતા કરતો નથી, તે કૃતદન કહેવાય છે. જે પોતાના સ્વજનોની હિતચિંતા કરતો નથી, તે કૃપણ કહેવાય છે. જે પોતાના પરિચિતોની હિતચિંતા કરતો નથી, તે સ્વાર્થી કહેવાય છે. જે દુનિયાના કોઈ પણ જીવની હિતચિંતા કરતો નથી, તે ઉદભરી ગણાય છે. બીજાઓની હિતચિંતારૂપ મૈત્રીભાવ જેના અંતરમાં સદા રમણ કરે છે, તેનામાં કૃતનપણું, કૃપણપણું, સ્વાર્થીપણું અને ઉદરંભરીપણું વગેરે દુર્ગુણોનો નાશ થવા સાથે કૃતજ્ઞતા, ઉદારતા, પરોપકારિતા અને પરમાર્થવૃત્તિતા વગેરે સદ્ગુણો પ્રગટી નીકળે છે. જીવ અનાદિકાળથી જેમ અચેતન પદાર્થો ઉપર રાગભાવ અને દ્વેષભાવથી પરાધીન છે, તેમ સચેતન પદાર્થો ઉપર પણ રાગભાવ અને દ્વેષભાવથી બંધાયેલો છે. પોતાની જાત ઉપર તેને એટલું બધું મમત્વ હોય છે કે પોતાની જાતના સુખની ખાતર કોઈ પણ પ્રકારનાં પાપકાર્યો કરતાં તે અચકાતો નથી. મૈત્રીભાવ તેને પોતાની જાત ઉપરના મમત્વથી ખસેડી પરના સુખ માટે ચિંતા કરનારો બનાવે છે. મૈત્રીભાવ આવ્યા પહેલાં પોતાની જાતનું જ એક મમત્વ તેના અંતરમાં હોવાથી દુનિયાનાં સઘળાં સુખો તેને પોતાને જ મળે” એવી અનંત તૃષ્ણા તેનામાં છૂપી રીતે રહેલી હોય છે. બધાં સુખો એક જ આત્માને મળી જાય, એવી પરિસ્થિતિ દુનિયાની કદી હોતી નથી, તેથી મૈત્રીભાવવિહીન આત્મા હંમેશાં અત્યંત અતૃપ્ત અને શોકગ્રસ્ત જ રહે છે. જે
SR No.005961
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy