SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ધાત પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत् कोऽपि दुःखितः । मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥ અર્થ : કોઈ પણ પ્રાણી પાપ ન કરો, કોઈ પણ પ્રાણી દુઃખી ન થાઓ, પ્રાણી માત્ર મોક્ષને પામો – આ પ્રકારની મતિને શાસ્ત્રકારો મૈત્રીભાવના કહે છે. આ જગતમાં ઇચ્છા કોને હોતી નથી? સંસારી જીવ માત્રના હૃદયમાં કોઈ ને કોઈ પ્રકારની ઇચ્છા હોય જ છે. બધી ઇચ્છાઓનો સમાવેશ માત્ર બે જ પ્રકારની ઇચ્છાઓમાં થાય છે. “મને પોતાને જરા જેટલું પણ દુઃખ ન થાઓ અને જગતમાં જેટલું સુખ છે, તે બધું મને જ મળો.” આ બે પ્રકારની ઇચ્છાઓ સંસારી જીવ માત્રના હૃદયમાં નિરંતર રહ્યા જ કરે છે. બીજી બધી ઇચ્છાઓના મૂળમાં પણ આ બે પ્રકારની જ ઇચ્છાઓ રહેલી હોય છે. આ બંને જાતની ઇચ્છાઓ કદી પણ પૂર્ણ થતી નથી, એ વાત પણ સતત લક્ષમાં રાખવા જેવી છે. એ કારણે શાસ્ત્રકારોને એ સિદ્ધાંત નક્કી કરવો પડ્યો છે કે “ઇચ્છા એ જ દુઃખ છે અને ઇચ્છાનો અભાવ એ જ સુખ છે ! - આહારની અયોગ્ય ઇચ્છામાંથી મુક્ત થવા માટે શાસ્ત્રકારોએ તપધર્મ ઉપદેશ્યો છે, અર્થ અને કામની અયોગ્ય ઇચ્છાઓમાંથી મુકિત મેળવવા માટે ક્રમશઃ દાન અને શીલધર્મ ઉપદેશ્યો છે. જેમ અર્થ, કામ અને આહારાદિની અયોગ્ય ઇચ્છાઓ જીવના દુઃખની વૃદ્ધિનું અને સુખની હાનિનું કાર્ય કરે છે, તેમ, તેથી પણ અધિક સુબહાનિ અને દુઃખવૃદ્ધિનું કાર્ય ઉપર્યુક્ત બે પ્રકારની અશુભ ઇચ્છાઓ કરે
SR No.005961
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy