SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ મૈત્યાદિ ભાવનાઓ રૂપ અમૃતકુંડમાં જીવ-હંસ સતત રમે એવો વિચાર મારા મનમાં પાંચેક વરસથી રહ્યા કરતો હતો, પણ તદનુકૂલ ચિંતનના અભાવે તે વિચાર કેવળ વિચારરૂપે જ રહી જતો હતો. ગયા ૫-૬ મહિનામાં ભાવનાઓના વિષયમાં થોડું થોડું લખવાનું ચાલુ કર્યું. લખવાનો આશય એટલો જ હતો કે તેવા લેખનના નિમિત્તે ચિંતન વધે અને તે ચિંતન ભાવનાઓને આત્મસાત્ બનાવવામાં સહકારી બને. એ લેખન વખતે પણ જો યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મકલ્પદ્રુમ, શાંત સુધારસ, પાતંજલ યોગસૂત્ર વગેરે ગ્રંથો સામે ન હોત તો લખવાનું કાર્ય આગળ વધત જ નહિ. કેવળ પોતાના આત્મા માટે લખેલું આ લખાણ જ્યારે કેટલાક મુમુક્ષુઓના હાથમાં આવ્યું ત્યારે તેમને એમ લાગ્યું કે આ વસ્તુ બહાર મુકાય તો ઘણાંને ઉપયોગી થાય. તે મુમુક્ષુઓની પ્રેરણાથી આ લખાણ પ્રગટ થઈ રહ્યું છે. “ઉપોદ્યત’ અને ‘પવિત્રતાનો સંદેશ’ આ ગ્રંથની ઉપયોગિતામાં ખૂબ જ વૃદ્ધિ કરશે, એવી આશા છે. પ્રાથમિક વાચકની સરલતાની ખાતર, ટિપ્પણીઓમાં કેટલાક પારિભાષિક શબ્દોનો ભાવ માત્ર વ્યક્ત કર્યો છે; તે તે શબ્દોની તે શાસ્ત્રોક્ત વ્યાખ્યાઓ નથી. અતિપવિત્ર એવી આ ગુર્જરગિરાનો મારો અભ્યાસ લગભગ નહિવત્ છે, તેથી ભાષાની દૃષ્ટિએ આ લેખમાં સૌદર્ય ન હોય, એ સ્વાભાવિક છે. આ ગ્રંથને ભાષાની દૃષ્ટિએ ન જોતાં તેમાં આવતા સાત્ત્વિક વિચારો તરફ જ લક્ષ્ય આપવા મુમુક્ષુઓને ખાસ ભલામણ છે. સત્પષ-હંસો આ પુસ્તિકા રૂપ પાત્રમાંથી ક્ષીરના અંશનો આસ્વાદ લેશે અને નીરના અંશને તજી દેશે, એ આશાએ વિરમું છું. - અનાહત રાજનગર, યેષ્ઠ શુક્લા ત્રયોદશી, ૨૦૧૪ १६
SR No.005961
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy