SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ दंभजादपि निःसंगाद् भवेयुरिह संपदः । निःछद्मनः पुनस्तस्मात् किं दवीयः परंपदम् ॥८६॥ : અર્થ : આ દુનિયામાં ભયુક્ત નિઃસંગતાથી પણ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે, તો જો નિસંગપણે નિષ્કપટ હોય, તો તેનાથી મોક્ષ અતિ દૂર કેમ હોય? અથતિ ન જ હોય. : વિવેચન : દિંભ-સહિત નિઃસંગતા, દંભ-રહિત નિઃસંગતા. ગ્રંથકારે નિઃસંગતા બે પ્રકારની બતાવી છે. અને ત્યાં સુધી કહ્યું છે કે દંભ-સહિત આચરેલી નિઃસંગતાથી પણ સંપત્તિઓ પ્રાપ્ત થાય બહારથી દેખાવની) નિઃસંગતા હોય, પરંતુ હદય નિઃસંગ ન હોય. બહારથી વિરક્તિ હોય પરંતુ અંતઃકરણ વિરક્ત ન હોય. આને દંભસહિત નિઃસંગતા કહેવાય. આવી નિઃસંગતા જોઈને પણ આ દુનિયાના ભોળા-સરળ જીવી ઝુકી જાય છે અને એવા દંભી નિઃસંગીઓના ચરણે સંપત્તિ ધરી દે છે. ગ્રંથકાર કહે છે કે જો દંભી નિ સંગીઓ સંપત્તિ પ્રાપ્ત કરી શકે છે, તો પછી જેઓ ખરેખર, દંભરહિત નિઃસંગી હોય તેમને મુક્તિની સંપત્તિ, પરમપદની સંપત્તિ કેમ ન મળે? અથ મળે જ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - दंभजनित असंगता इहभव के सुख देत, ' રંગરહિત નિઃસંતા, શોને દૂર સુd હેત. ગ્રંથકાર આચાદવ, સાચી આંતર નિઃસંગતા પ્રાપ્ત કરવા પ્રેરણા આપે છે. જે નિઃસંગતાના પરિણામે સાચો સામ્યભાવ પ્રાપ્ત થાય અને એ સામ્યભાવના પરિણામે ‘સમતાયોગની પ્રાપ્તિ થાય. સમતાયોગમાં સ્થિર થઈ, આત્મા કર્મરહિત બને અને પરમાનંદની પ્રાપ્તિ કરે. શાખ્યશતક ૮૭
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy