________________
'
विषमेषुरयं धूर्तचक्रशक्रत्वमर्हति । दुःखं सुखतयादर्शि येन विश्वप्रतारिणा ॥ ६५ ॥
: અર્થ : વિષમ બાણવાળો એ કામદેવ, ધૂર્ત લોકોના સમૂહનો ઇન્દ્ર થવાને લાયક છે. કારણ કે વિશ્વને ઠગનારો એ કામદેવ દુઃખને સુખરૂપે દેખાડે છે.
: વિવેચન : કામદેવ ‘વિષમ' બાણવાળો છે.
વિષમ' એટલે વિપરીત અથવા એકી સંખ્યાવાળાં (પાંચ) બાણ ધારણ કરનારો છે કામદેવ.
જેમ ઠગારો - ધૂતારો ખોટી વાતને ખરી અને ખરી વાતને ખોટી બતાવે છે, તેવી રીતે કામદેવ પણ દુઃખને સુખરૂપે બતાવીને આ દુનિયાને ઠગે છે, ભલભલા વિદ્વાનોને, જ્ઞાનીઓને પણ લગે છે, માટે તે ઠગારો છે, ધૂતારો છે, પરંતુ સામાન્ય કોટિનો ધૂતારો નથી, ધૂતારા લોકોનો રાજા છે !
એક વાત સમજી રાખો કે આ ધૂર્તસમ્રાટ કામદેવના સામ્રાજ્યમાં જીવવાનું છે અને રહેવાનું છે. સમગ્ર વિશ્વ, આ કામદેવનું સામ્રાજ્ય છે. એટલે તો ગ્રંથકારે વિશ્વ પ્રતારિણા' શબ્દનો પ્રયોગ કર્યો છે. કામદેવે સમગ્ર વિશ્વને છેતર્યું છે ! દુનિયા એનાથી છેતરાતી રહી છે. એ છેતરામણને ઢાંકવા માટે વિદ્વાનોએ ઘણી ઘણી વાતો લખી છે; પરંતુ એથી કંઈ કામવાસનાની ધૂર્તતાને નકારી શકાતી નથી.
અલબતું. આ કામવાસના વેદમોહનીય કર્મના ઉદયથી પ્રગટે છે, કર્મજન્ય છે, પરંતુ જ્યાં સુધી એ જીવના કંટ્રોલમાં રહે છે, ત્યાં સુધી જ બરાબર, જ્યારે એ જીવને વશ નથી રહેતી, જીવ એ વાસનાને પરવશ બની જાય છે ત્યારે જીવ સુખની ભ્રમણામાં અટવાતો, દુઃખના ઊંડા પાણીમાં ઉતરતો જાય છે. છેવટે એનો સર્વનાશ થાય છે.
૬૬ શાશતક