________________
यस्य साम्राज्यतिायां प्रधानं हंत योषितः । सोऽपि संकल्पभूः स्वस्य कथं स्थेमानमीहते ॥६६॥
: અર્થ : ઘણા અફસોસની વાત છે કે જેના સામ્રાજ્યની મશલતમાં સ્ત્રીઓ પ્રધાન છે, એવો એ કામદેવ, પોતાની સ્થિરતા કેમ ઈચ્છતો હશે?
: વિવેચન : પ્રાચીન ભારતીય રાજનીતિમાં, સ્ત્રીનું સ્થાન નગણ્ય હતું. સ્ત્રીને પ્રધાનમંડળમાં સ્થાન મળતું ન હતું. જે રાજા પોતાના પ્રધાનમંડળમાં સ્ત્રીને પ્રધાનપદ આપતો હતો તેનું રાજ્ય સલામત રહેતું ન હતું. રાજનીતિમાં સ્ત્રીની સલાહ લેવામાં આવતી ન હતી. અપવાદરૂપે કોઈ રાજા, એવી વિદુષી સ્ત્રીની સલાહ લેતા, એ જુદી વાત છે.
પ્રસ્તુતમાં રાજનીતિની વાત નથી. પ્રસ્તુતમાં તો કામદેવના સામ્રાજ્યની વાત છે ! કામદેવનું તો સમગ્ર પ્રધાનમંડળ સ્ત્રીઓનું બનેલું છે ! કામદેવની સલાહકાર બધી સ્ત્રીઓ જ છે. અને તે છતાં અસંખ્ય વર્ષોથી કામદેવ. આ વિશ્વ પર રાજ્ય કરે છે ! વિશ્વ પર જામીને બેઠો છે ! સ્થિર થઈને બેઠો છે... ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
जा के राज-विचारमें अबला एक प्रधान, - सो चाहत है सर्वजय, कैसे काम तमाम ? - જે કામદેવના રાજ્યમાં, રાજકીય સલાહમાં સ્ત્રી-પ્રધાન છે, તે આ વિશ્વમાં વિજય ઇચ્છે છે, તે કેવી રીતે શકય છે ? . . કામદેવે એ શકય કરી બતાવ્યું છે. “સ્ત્રીના માધ્યમથી જ એણે વિશ્વ પર વિજય મેળવ્યો છે. એક માત્ર જ્ઞાની પુરુષો ઉપર એનું કંઈ ઉપજતું નથી. જેમના હૃદયમાં આત્મજ્ઞાનનો પ્રકાશ પ્રગટ્યો હોય છે, તેઓ કામવિજેતા બને છે. સામાન્ય શ્રુતજ્ઞાની તો વિષયોની ઈન્દ્રજાળમાં ભ્રમિત થઈ જાય છે. જેમ દિમોહ થાય છે તેમ વિષયભ્રમ થાય છે.
શાગ્યશતક SARARARARA
&
૬૭