________________
अहो संकल्पजन्मायं विधाता नूतनः किल । क्लेशजं दुःखमप्येतद्धत्ते यस्तु सुखाख्यया ॥६४॥
: અર્થ : અહો, સંકલ્પજન્ય કામદેવ એક નવી જાતનો વિધાતા છે કે જે ફ્લેશજન્ય દુઃખને પણ સુખરૂપે ધારણ કરે છે.
.: વિવેચન : કામવાસના સંકલ્પ (વિચાર)માંથી ઉત્પન્ન થાય છે. એટલે એમ કહેવાય છે કે “કામદેવ’ સંકલ્પજન્મા છે.
કામવાસનાને પરવશ જીવ, દુઃખને પણ સુખરૂપે સમજે છે. ફ્લેશમય દુઃખને પણ સુખ માને છે. આ કામવાસના જીવને ભ્રમિત કરતી રહે છે.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - दुःख सब ही सुख विषय को, कर्मव्याधि-प्रतिकार, ताकुं मन्मथ सुख कहे धूर्त जगत दुःखकार. વૈષયિક સુખ દુઃખરૂપ જ છે, પરંતુ મન્મથ પરવશ જીવ એને સુખ માને છે. માટે જગતમાં મન્મથને - કામદેવને ધૂર્ત કહેવામાં આવ્યો છે. જગતને ઠગે છે માટે તે ધૂર્ત છે.
જ્ઞાની-યોગી પુરુષોની દૃષ્ટિએ કામવાસના દુઃખરૂપ છે, પરંતુ અજ્ઞાની અને ભોગી લોકોની દ્રષ્ટિએ એ વાસના સુખરૂપ મનાય છે. પ્રસ્તુતમાં ગ્રંથકારે અલંકારિક ભાષામાં કામદેવને નવી જાતના વિધાતા તરીકે વર્ણવ્યો છે ! લોકપ્રસિદ્ધ વિધાતા તો સુખને સુખરૂપે ઓળખાવે છે અને દુઃખોને દુઃખરૂપે ઓળખાવે છે. જ્યારે આ કામદેવ એવો વિધાતા છે કે જે દુઃખને સુખરૂપે ઓળખાવે છે !
માલવપતિ મુંજ જેવો વિદ્વાન્ રાજા પણ આ કામદેવના ફંદામાં ફસાઈને દુઃખરૂપ કામવાસના (પરસ્ત્રીજન્ય)માં સુખ માની બેઠો હતો. એના પરિણામે ભયંકર મોતને પામ્યો હતો. હાથીના પગ નીચે ચગદાઈને મર્યો હતો. શાખ્યશતક RINGANAGAR ૫