________________
वीरपंचतयीमेतामुरीकृत्य मनोभवः ।
उपैति सुभट श्रेणी संख्यारेखां न पूरणीम् ॥ ६३ ॥
: અર્થ :
મનમાંથી ઉત્પન્ન થનારો કામદેવ, પાંચ ઇન્દ્રિયોરૂપ યોદ્ધાઓને અંગીકાર કરીને, સુભટોની શ્રેણીને પૂરનારી સંખ્યાને પ્રાપ્ત થતો નથી. અર્થાત્ તે તેટલાથી જ પૂર્ણ છે !
: વિવેચન :
કામદેવ સ્વયં પ્રચંડ યોદ્ધો છે.
તેમાં વળી, પાંચ ઇન્દ્રિયોરૂપી મહાવીર સૈનિકો મળી ગયા ! તેથી હવે એને બીજા સૈનિકોની બેટાલીયનની જરૂર નથી રહી. એ કામદેવ, પાંચ ઇન્દ્રિયોથી જ પૂર્ણ શક્તિશાળી બની ગયો છે. પછી એને બીજા સૈનિકોની શી જરૂર ?
કહેવાનું તાત્પર્ય એ છે કે, મોક્ષમાર્ગના આરાધકે, કામદેવ ઉપર (વિષયવાસના ઉપર, સેક્સીવૃત્તિઓ ઉપર) વિજય મેળવવા માટે એક જ કામ કરવાનું છે - ઇન્દ્રિયવિજય ! પાંચ ઇન્દ્રિયો ૫૨ વિજય મેળવવાનો છે. એ વિજય મેળવવા ઇન્દ્રિયનિરોધની સાથે સાથે પ્રશમભાવ - ઉપશમભાવને દ્દઢ કરવાનો છે. વૈરાગ્યને વાસનારૂપ બનાવી દેવાનો છે.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીના શબ્દોમાં -
वीर पंच इन्द्रिय लही, कामनृपति बलवंत, करे न संख्या- पूरणी सुभट - सेणी की तंत.
સમગ્ર વિશ્વમાં કામદેવ, પાંચ ઇન્દ્રિયોરૂપ સુભટો લઈને ફરે છે અને જગત ઉપર એકચક્રી રાજ્ય કરે છે ! એને બીજા વધારે સૈનિકોની જરૂ૨ જ નથી.
૬૪
એવી રીતે, સાધકે પણ બીજી બધી સાધનાઓનો મોહ છોડી, એક જ સાધના - ઇન્દ્રિયવિજયની કરી લેવી જોઈએ. જે ક્ષણે એ ઇન્દ્રિયવિજેતા બનશે, એ વિશ્વવિજેતા બની જશે. પછી એની મુક્તિ હાથવેંતમાં સમજવી.
શામ્યશતક