________________
प्रणिधाय ततश्चेतः तन्निरोधविधित्सया । ગુતાં નાપુત્રીતિ શીતાંશુ માં રેત્ ૪૬ છે
: અર્થ : તે માયાને રોકવાની ઇચ્છા હોય તો ચિત્તને સ્થિર રાખીને ચન્દ્રની કાંતિ જેવા સરળતારૂપી જાંગુલી મંત્રનું સ્મરણ કરવું.
.: વિવેચન : - એ માયા-નાગણને તમારી પાસે આવતી રોકવી છે? - એને રોકવાની પ્રબળ ઇચ્છા છે ? – તો સર્વપ્રથમ તમારા ચિત્તને સ્થિર કરો, અને - સરળતા-રૂપી “જાંગુલી-મંત્રનું સ્મરણ કરો.
સપનું ઝેર ઉતારવા માટે “જાંગુલીમંત્રનો જાપ કરવો પડે છે. અહીં ગ્રંથકાર કહે છે કે સાપણ પાસે જ ન આવે તે માટે જાંગુલીમંત્રનું સ્મરણ કરો !
પરંતુ મંત્રસ્મરણ કરવાની વાત તો પછીની છે. પહેલાં તો એ પૂછે છે માયા - સાપણને રોકવાની તમારી ઈચ્છા છે ખરી ? પ્રબળ ઇચ્છા છે ખરી? તો પહેલાં ચિત્તને સ્થિર કરો.
જે મનુષ્યોને માયા-કપટ કરવાની કુટેવ પડી ગઈ હોય છે, તેઓ પ્રાયઃ મરતા સુધી, એ કુટેવ છોડી શકતા નથી. હું માયા-કપટ કરું છું. એ ખોટું કરું છું.” એવું પણ પ્રાયઃ એમને લાગતું નથી. માયા-કપટની જાળમાં કોઈ ફસાય છે, તો એ ખુશ થાય છે. આવા માણસને માયા છોડવાની ઇચ્છા જ થતી નથી. પછી એ ચિત્તને સ્થિર કરી, મંત્રજાપ, - કેવી રીતે કરવાનો? ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - ताके निग्रह करनकुं, करो ज्यु चित्त विचार,
समरो ऋजुता-जांगुली पाठसिद्ध निरधार. સરળતા-રૂપ જાંગુલીમંત્ર પાઠસિદ્ધ છે. એટલે કે એને સિદ્ધ કરવા માટે તપ કરવાની જરૂર નથી કે અમુક હજાર કે લાખ વાર જપ કરવાની જરૂર નથી ! તમે તમારા હૃદયને સરળ કરો, બસ, મંત્ર સિદ્ધ જશે
શાભ્યશતક GRANNAPARK
૪૭