________________
सूत्रयंती गतिं जिह्यां मार्दवं बिभ्रति बहिः । अजस्त्रं सर्पिणीवेयं माया दंदश्यते जगत् ॥४५॥
: અર્થ : વક્ર (વાંકી) ગતિવાળી અને બહારથી કોમળતા દેખાડતી આ માયા-સાપણ નિરંતર જગતને અતિશય ડસ્યા કરે છે.
: વિવેચન : માયાવી માનવી - કયારેય સીધો ન ચાલે, વાંકો ચાલે. - કયારેય એ કોમળ ન હોય, કઠોર હોય.
છતાં એ બહારથી સીધો દેખાય! બહારથી કોમળ દેખાય! એટલે સરળ જીવો એના પર વિશ્વાસ કરે છે. જેઓ એના પર વિશ્વાસ મૂકે છે, એમનો એ વિશ્વાસઘાત કરે છે. નાગણની જેમ એ ડરે છે.
માયાને સાપણની - નાગણની ઉપમા આપી છે. સાપણ હંમેશાં વાંકી ચાલે. ઉપરથી એ કોમળ દેખાય, લીસ્સી દેખાય, પરંતુ ભીતરમાં એ કઠોર હોય છે. જે કોઈ જીવ એને દેખાય છે, અને એ ડરે છે. ડંખ મારે છે. આખા જગતને ડંખે છે. એનો ડંખ પ્રાણ હરનારો હોય છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે - कोमलता बाहिर धरत, करत वक्रगति चार, माया सापिणी जग डसे, असे सकल गुण सार. ઉપાધ્યાયજીએ એક વિશેષ વાત કરી છે. “ગ્રસે સકલ ગુણસાર.” માયાવી માણસ ડરે છે બીજાને, પરંતુ એના જ બધા ગુણ ગ્રસિત થઈ જાય છે. એના જ બધા ગુણ નાશ પામી જાય છે. માયા-સાપણની આ ભયંકરતા છે ! માયાવીનો ગુણ-વૈભવ નાશ પામી જાય છે.
માયાવી માનવી પર કયારેય વિશ્વાસ ન કરવો. એની કોમળતા જોઈને કે એની મીઠી વાણી સાંભળીને ભ્રમિત ન થવું. એ ગમે ત્યારે વિશ્વાસઘાત કરી શકે છે.
૪૬
BANASKANNAAMAA% શાખ્યશતક