________________
तिरयन्नुज्वलालोकमभ्युन्नतशिराः पुरः । निरुणद्धि सुखाधानं मानो विषमपर्वतः ॥४०॥
: અર્થ : માન-અભિમાન ઊંચા શિખરવાળો વિષમ પર્વત છે. તે પોતાની આગળ રહેલા ઉજજવલ પ્રકાશને ઢાંકીને, સુખના પ્રવાહને રોકે છે.
.: વિવેચન : અભિમાનનો આ પહાડ નાનો-સુનો નથી. એનાં આઠ | આઠ ઊંચા શિખરો છે ! ભયાનક ભેખડો છે. એવા પહાડમાં રહેલા માનવીને પ્રકાશનું સુખ કેવી રીતે મળી શકે ?
એ આઠ શિખરો એટલે આઠ મદ ! પ્રકાશનું સુખ એટલે જ્ઞાનના પ્રકાશનું સુખ મદાંધ માનવીને જ્ઞાનપ્રકાશનું સુખ ન જ મળે. એ તો અજ્ઞાનના અંધકારમાં જ ભટકતા રહે છે અને દુઃખનાં રૂદન કર્યા કરે છે. - અજ્ઞાની હોવા છતાં માનવી પોતાને જ્ઞાની માને છે. – બુદ્ધિહીન હોવા છતાં માની માનવી પોતાને ‘અભયકુમાર'માને છે! - રૂ૫હીન હોવા છતાં પોતાને ‘સનકુમાર’ માને છે ! - બળહીન હોવા છતાં, પોતાને ભીમ કે અર્જુન માને છે ! ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે -
आठ शिखर गिरिराज के, ठामे विमलालोक, तो प्रकाशसुख क्युं लहे, विषम मानवश लोक. ઉજ્જવલે પ્રકાશમય જ્ઞાનથી જે સુખ પ્રાપ્ત થઈ શકે છે, તે સુખ અભિમાની મનુષ્ય મેળવી શકતો નથી.
જ્ઞાનાનન્દ, ચિદાનન્દ...પૂણનન્દ... અભિમાની મનુષ્યના ભાગ્યમાં હોતો જ નથી. એ અભિમાનના મિથ્યા આનંદમાં રમ્યા કરે છે. અને જ્યારે એનો મિથ્યા ગર્વ ભેદાય છે, એનું અભિમાન ચૂર-ચૂર થઈ જાય છે. ત્યારે એના કરુણ રૂદનને સાંભળનાર હોતું નથી. એની અશ્રુધારાને સહાનુભૂતિથી લૂછનાર કોઈ હોતું નથી. જ શામશતક BANASKANGANAGAR, ૪૧