________________
उच्चैस्तरमहंकारनगोत्संगमसौ श्रितः । युक्तमेव गुरुन्मानी मन्यते यल्लघीयसः ॥३९॥
: અર્થ : અભિમાનરૂપ પર્વતના ઊંચા ઉલ્લંગમાં રહેલો, અભિમાની પુરુષ, ગુરુ ને લઘુ (મોટાઓને નીચા) માને છે, તે યુક્ત જ છે !
: વિવેચન : અભિમાની મનુષ્ય, ગુરુજનોને, મોટા ગજાના માણસોને અવગણી નાખે, તુચ્છ માને. એમાં આશ્ચર્ય પામવું! અભિમાની માટે એ યોગ્ય જ હોય છે. અભિમાનની એ પ્રતિક્રિયા જ હોય છે. - અભિમાની મનુષ્ય પાસેથી નમ્રતાની અપેક્ષા ન રાખો. - અહંકારી મનુષ્ય પાસેથી આદર-સત્કારની અપેક્ષા ન રાખો. - ગર્વિષ્ઠ મનુષ્ય પાસેથી પ્રશંસાના શબ્દોની અપેક્ષા ન રાખો.
આવા લોકોમાં ઉદ્ધતાઈ હોય, તે સ્વાભાવિક માનો. આવા લોકોમાં અનાદર-તિરસ્કારભર્યું આચરણ હોય, તેને સ્વાભાવિક માનો. આવા લોકો હંમેશાં બીજાઓની ટીકા-નિંદા જ કરતા હોય છે, તે એમના માટે યોગ્ય જ હોય છે. આશ્ચર્ય ન પામો. ખેદ ન પામો. આઘાત ન અનુભવો.
અભિમાની મનુષ્યો, માતા-પિતાને અવગણી નાખે છે. ઉપકારીજનોનું અપમાન કરી નાંખે છે. વડીલો-સજ્જનોને ઉતારી પાડે છે. જ્ઞાની-ધ્યાની પુરુષોને તિરસ્કારી કાઢે છે. આ બધું એમના માટે યોગ્ય જ હોય છે !
આમ કહીને, ગ્રંથકાર આચાર્યદિવ, અભિમાની – અહંકારી મનુષ્યો પ્રત્યે ઉપેક્ષા-ભાવ રાખવાની પ્રેરણા આપે છે. એમના પ્રત્યે દુર્લક્ષ્ય રાખવાનું કહે છે. તેઓ આવા જ હોય.” એવું સમજીને એમની પાસેથી બીજી કોઈ સારી અપેક્ષા નહીં રાખવાનો ઉપદેશ આપે છે.
આપણે પણ જો અભિમાન-પર્વતના ઊંચા શિખર પર આરુઢ થઈ જઈએ તો આપણી પણ આવી જ સ્થિતિ થાય. બીજાઓનો અપકર્ષ જ કરવાના.. આપણા જ ગુણ ગાવાના ! ૪૦ RANASKANKARSANટ શાશતક