________________
अखर्वगर्व-शैलाग्र-शृंगादुद्धरकंधरः । पश्यन्नहयुराश्चर्यं गुरुनपि न पश्यति ॥३८॥
: અર્થ : મોટા ગવરૂપ પર્વતના અગ્રશિખર ઉપરથી ડોક ઊંચી કરીને આશ્ચર્યથી જોતો એવો અહંકારી મનુષ્ય ગુરુજનોને પણ જોઈ શકતો નથી.
: વિવેચન : ક્રોધ પહેલો કષાય છે, માન બીજે કષાય છે. માન કહો, અભિમાન કહો કે ગર્વ કહો ! એક જ વાત છે.
ગર્વને પર્વતની ઉપમા આપવામાં આવી છે. ગવરૂપ મોટા પર્વતની ટોચ ઉપર ચડેલો મનુષ્ય પોતાનામાં જ રહેલી વિશેષતાઓને (આશ્ચર્યોને) જોયા કરે છે, તેથી તે ગુરુજનોને જોઈ શકતો નથી, અર્થાત્ ગુરુજનોને તુચ્છ માને છે, નગણ્ય માને છે.
પોતાની ઉચ્ચ જાતિ, ઉચ્ચ કૂળ, રૂપ, ધન, ઐશ્વર્ય, બુદ્ધિ, લોકપ્રિયતા, જ્ઞાન આદિનું અભિમાન, મનુષ્યને ઉદ્ધત બનાવે છે. ઉદ્ધત બનેલો મનુષ્ય ગુરુજનોને અવગણી નાંખે છે. ગુરુજનોનું અપમાન કરી નાંખે છે. એમની જરાય પરવા કરતો નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે :
पर्वत गर्व शिखर चडयो, गुरुकुंभी लघुरूप, • कहे तिहां अचरज किश्यो, कथन ज्ञान अनुरूप. અભિમાનનું આ લક્ષણ છે -
વોત્કર્ષ અને પરોપકર્ષ. પોતાને મહાનું માનવો, બીજાને હલકોતુચ્છ માનવો. અભિમાનની આ રીતે અભિવ્યક્તિ થતી હોય છે. - અભિમાનના પહાડના ઊંચા શિખર પર ચઢેલા, ઊંચી ડોક કરીને અને છાતી કાઢીને ઊભેલા ગર્વિષ્ઠ મનુષ્યને જોજો તો ખરા ! એ બીજા કોઈને જોતો જ નથી હોતો ! એ પોતાનામાં રહેલી જાતિ, કુળ, રૂપ, ધન, બુદ્ધિ, જ્ઞાન.. આદિ વિશેષતાઓ જ જોવામાં લીન હોય છે. ભલે ને એના કરતાં વધારે વિશેષતાઓવાળા મનુષ્યો એની સામે આવે, એને દેખાતા જ નથી ! શામ્યશતક (RIGINAMIKANKARIA ૩૯