________________
दोषत्रयमयः सैषः संस्कारो विषमज्वरः । મેઘૂરીમૂથો વેને પાવાથયોતિ ારા
: અર્થ : તે આ સંસ્કાર (વાસના), ત્રિદોષમય વિષમ વરના જેવો છે. જે કષાયરૂપ કવાથ (ઉકાળો)ના યોગથી પુષ્ટ થાય છે.
: વિવેચન : એ જ સંસારવાસનાને “સંસ્કાર' કહીને, ગ્રંથકાર એને એક વિષમ વરની ઉપમા આપે છે.
ત્રિદોષ એટલે વાત-પિત્ત અને કફના યોગથી થતો સંનિપાત! એ સંનિપાતથી ઉત્પન્ન થતો વિષમ વર ઘણો ભયંકર હોય છે.
સંસારવાસનાનો પણ જ્વર ઘણો ભયંકર છે. મન-વચન-કાયા (ત્રિદોષ) ના યોગથી એ વર આમેય જીવલેણ બને છે, તેમાં વળી ચાર કષાયનો ક્વાથ (ઉકાળો) લેવામાં આવે, તો પછી બાકી શું રહે? એ જ્વર ભાવપ્રાણોને હરી લે છે. - પહેલી વાત તો, સંસારવાસનાઓ જ ખતરનાક છે. - તેમાં ત્રિદોષ ભળે એટલે ભયંકર સંનિપાત થાય. - એમાં વળી કષાયોનો ક્વાથ પીવામાં આવે, એટલે એ વાસનાઓનો
જવર પ્રાણોને, ભાવપ્રાણોને હરી લે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી, આ શ્લોકનો અર્થ આ રીતે કરે છે - विषय ताप भववासना, त्रिविध दोष को जोर,
प्रकटे याकी प्रबलता, क्वाथ-कषाइ घोर. મન-વચન-કાયાથી જો સંસારવાસનાઓને રમાડતા રહેશો તો ક્રોધ, માન, માયા અને લોભ પેદા થવાના જ ! વાસનાઓની સાથે આ ચાર કષાયો ભળે છે એટલે જીવનો સર્વનાશ કરે છે. કંઈ જ શુભ બચતું નથી. અસંખ્ય વિકારોથી જીવ ખદબદી ઊઠે છે... પરિણામે એ તરફ નરક આદિ દુર્ગતિઓમાં ભટકતો થઈ જાય છે.
એટલે, ભવવાસનાઓ સાથે કષાયોને જોડાવા ન દો.
મન-વચન-કાયાથી એ વાસનાઓ સાથે રમો નહીં. શાખ્યશતક ISSNAGAR ૩૧