________________
तत्कषायानिमांच्छेतुमीश्वरीमविनश्वरम् ।
पावनां वासनामेनामात्मसात्कुरुते द्रुतम् ॥३१॥
: અર્થ :
(તેથી) એ ચાર કષાયોને છેદવાને સમર્થ અને કયારેય નાશ ન પામે એવી પવિત્ર વાસનાને સત્વરે સ્વાધીન કરવી.
: વિવેચન :
વાસના બે પ્રકારની હોય છે ઃ એક સંસારની વાસના, બીજી ધર્મની
વાસના.
સંસારની વાસનાનો ત્યાગ કરવો.
ધર્મની વાસનાને સ્વાધીન કરવી.
ધર્મની વાસના, ક્રોધ-માન-માયા અને લોભ-આ ચાર કષાયોનો નાશ કરી શકે છે. આ ધર્મવાસના એવી આત્મસાત્ કરવી કે એનો કયારેય નાશ ન થાય.
જો હ્રદયમાં ધર્મવાસના સ્થિર થઈ જાય તો સદૈવ હૃદય શુદ્ધ અને પવિત્ર રહે. હૃદયમાં કષાયો સ્થિર ના થઈ શકે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ શ્લોકનો ભાવાર્થ આપતા કહે છેઃ ता तें दुष्ट कषायके, छेदे हित निज चित्त, धरो एह शुभभावना, सहज भाव में मित्त. “મારા મિત્ર, તમારા હૃદયમાં ધર્મની એવી શુભ ભાવના સ્થિર કરો, સહજ રીતે સ્થિર કરો, કે જે ક્રોધાદિ કષાયોનો નાશ કરે.'
ભાવનાને વાસનારૂપ બનાવવી પડે. શુભ-પ્રશસ્ત ભાવનાઓ વાસનારૂપ, એટલે કે અવિનાશી બની જવી જોઈએ, સુદ્દઢ બની જવી જોઈએ. એ માટે મન-વચન-કાયાથી પ્રયત્ન કરવો જોઈએ. કષાયો પર વિજય મેળવવો સરળ નથી. ચારે ચાર કષાયો પર વિજય મેળવવાનો છે. એ વિજય, માત્ર ધર્મક્રિયાઓથી મળતો નથી. એના માટે ભાવનાત્મક પુરુષાર્થ કરવો પડે છે. જ્ઞાનાત્મક પ્રયત્ન કરવો પડે છે.
સંસારની ચાર પ્રકારની વાસનાઓનો ત્યાગ કરીને, એની (કષાયોની) પ્રતિપક્ષી ચાર પ્રકારની વાસનાઓને સ્વાધીન કરવાની છે.
૩૨
શામ્યશતક