SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ यावज्जागर्ति संमोहहेतुः संसारवासना । निर्ममत्वकृते तावत् कुतस्त्या जन्मिनां रुचिः ॥२९॥ : અર્થ : જ્યાં સુધી જીવોને મોહના હેતુભૂત સંસારની વાસનાઓ જાગે છે, ત્યાં સુધી નિર્મમત્વની રૂચિ કયાંથી થાય? .: વિવેચન : - શું તમારા મનમાં સ્વજનો પ્રત્યે રાગ છે? - શું તમારા ચિત્તમાં સ્નેહી-સગા-મિત્રો પ્રત્યે સ્નેહ છે? - શું તમારા હૃદયમાં ધન-સંપત્તિની આસક્િત છે? - શું તમારા મનમાં શરીર ઉપર મમત્વ છે? જો છે, તો પછી તમારા મનમાં મમત્વરહિત બનવાની ઇચ્છા નહીં જાગે. "મારે નિર્મમ-નિર્મોહ બનવું છે.” આવી રૂચિ નહીં જ જાગે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે : ज्युं ज्युं भव की वासना, जगे मोहनिदान, त्यु त्युं स्चे न लोक कुं, निर्मलभाव प्रधान. જ્યાં સુધી ભવવાસનાઓ તમારા ચિત્તમાં જાગતી રહેશે ત્યાં સુધી નિર્મમ-નિર્મોહ બનવાની નિર્મલ ભાવનાઓ નહીં જાગે તમારા મનમાં. ‘અમારા મનમાં પવિત્ર વિચારો, નિર્મલ ભાવનાઓ, શુભ ઈચ્છાઓ કેમ જાગતી નથી? જાગે છે, તો ટકતી કેમ નથી? જો આવો પ્રશ્ન તમારા ચિત્તમાં જાગે છે, તો આ પ્રશ્નનું સમાધાન આ શ્લોકમાં ગ્રંથકાર કરી દે છે ! નિર્મમ-નિર્મોહ બનવાની વાત તો ઘણી દૂર છે, એવા બનવાની ઇચ્છા - રૂચિ જાગે છે મનમાં? દિવસ - રાતમાં એકાદવાર પણ આવી ઈચ્છા જાગે છે ખરી? આંતરખોજ કરવી જરૂરી છે. વિવિધ ઈચ્છાઓ જાગે છે મનમાં, એ ઈચ્છાઓમાં એકાદ ઇચ્છા આવી પણ જાગે છે ખરી? શાન્ત ચિત્તે આંતરખોજ કરવી જરૂરી છે. ૩૦ AMAR NAA%AAશામ્યશતક
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy