SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ शरीरकेऽपि दुःखाय मोहमाधाय तत्पराः । क्लिश्यन्ते जंतवो हंत, दुःस्तरा भववासना ॥१८॥ : અર્થ : અહો ! સંસાર-વાસના કેવી દુસ્તર છે ! શરીર ઉપરનો મોહ દુઃખી જ કરે છે છતાં મોહાસક્ત રહીને જીવો ક્લેશ પામે છે! .: વિવેચન : સંસાર-વાસના એટલે વૈતરણી નદી. વૈતરણી હમેશાં દુસ્તર હોય છે. વૈતરણીને પાર કરવી સરળ નથી. સંસારવાસનાથી પર થવું એટલું જ મુશ્કેલ છે. એ સંસારવાસનામાં મુખ્ય વાસના હોય છે. શરીરની. મોહાધીન જીવાત્મા દેહને - શરીરને જ સર્વસ્વ માને છે, એટલે એની દેહાસક્તિ પ્રબળ હોય છે. આ દેહાસતિ જીવને દુઃખી કરે છે, ત્રાસ આપે છે.... છતાં મૂઢ જીવ દેહાસક્િત છોડતો નથી. દેહાલત જીવાત્મા સમજતો નથી કે – આ દેહ નાશવંત છે, – આ દેહમાં અશુચિ ભરેલી છે, – આ દેહ સદેવ પવિત્ર રહેતો નથી. આ દેહાસક્િત, શરીરવાસના છૂટવી સરળ નથી હોતી, ઘણી મુશ્કેલ હોય છે. મનુષ્ય, સ્વજનોનો ત્યાગ કરી શકે છે, સ્નેહી મિત્રોનો ત્યાગ કરી શકે છે, વૈભવ-સંપત્તિનો ત્યાગ કરી શકે છે... માનસન્માનનો ત્યાગ કરી શકે છે. પરંતુ શરીરના મમત્વનો ત્યાગ કરવો એના માટે પણ મુશ્કેલ હોય છે. * મારું શરીર રોગી ન બનવું જોઈએ. * મારું શરીર દુર્બળ ન થવું જોઈએ. * મારું શરીર ગંદુ ન રહેવું જોઈએ ! આવી બધી દેહવાસનાઓ જીવાત્માને સંતાપ પમાડતી રહે છે, છતાં મોહમૂઢ જીવાત્મા દેહાસકિત છોડતો નથી. શરીર ઉપરનું મમત્વ ત્યાગતો નથી...કારણ કે સંસારવાસના વૈતરણી છે ! અને તે દુતર છે ! શાખ્યશતક Nataka Rese ૧૯
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy