________________
विरागो विषयेष्वेषु परशुर्भविकानने । समूलकाषं कषित ममता - वल्लिरुल्बणः ॥१७॥
: અર્થ :
વિષયો પ્રત્યે પ્રગટેલો વૈરાગ્ય, સંસારવનમાં કુહાડા સમાન છે. વૈરાગ્યનો કુહાડો મમતાની વેલને મૂળમાંથી ઉખેડી નાખે છે,
: વિવેચન :
परिणति विषय - विरागता भवतस्मूलकुठार, ता आगे क्युं करी रहे, ममता - वेलि प्रचार. - ઉપા. યશોવિજયજી
‘વિષય-વૈરાગ્ય’ કુહાડો છે.
એ કુહાડાથી મમતાની વેલને મૂળમાંથી ઉચ્છંદી નાંખો. ભવ-વનમાં ઠેર-ઠેર મમતાની વેલો ઊગી નીકળે છે. એ મમતાનું ઝેર ફેલાય, એ પૂર્વે એ વેલનો વિચ્છેદ કરી દો.
જેવી રીતે કઠિયારો પોતાના ખભે કુહાડો રાખીને ફ઼રતો હોય છે જંગલમાં, તેવી રીતે યોગી પણ પોતાના ખભે વિષયવૈરાગ્યનો કુહાડો રાખીને ફરે ભવના જંગલમાં. જ્યાં મમતાની વેલ દેખાય, મૂળમાંથી એનો વિચ્છેદ કરી નાંખે.
એ વિષય-વૈરાગ્ય ‘પરિણતિ’રૂપ જોઈએ. પરિણત-વૈરાગ્ય એટલે તીક્ષ્ણ-ધારદાર કુહાડો ! આ કુહાડો બુઢ્ઢો ન થાય. એ કુહાડાનો ઘા નકામો ન જાય.
પરિણત વૈરાગ્ય એટલે જ્ઞાનમૂલક વૈરાગ્ય. જ્ઞાનજન્ય વિરક્તિ. રામચન્દ્રજી જ્યારે રામચન્દ્રમુનીશ્વર બન્યા, જંગલમાં પાષાણશીલા પર ધ્યાનસ્થ બન્યા. સીતેન્દ્ર (સીતાનો જીવ) એમને વિચલિત કરવા આવ્યા. અપ્સરાઓનાં ગીત-નૃત્ય થવા લાગ્યાં... ચારે બાજુ વસંત ઋતુની બહાર ફેલાઈ ગઈ... પરંતુ મહામુનિ રામચન્દ્રજીના હૃદયમાં વૈરાગ્યની પરિણતી હતી. મમત્વ સૌ ગજ દૂર રહ્યું ! તેઓ ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશી ગયા. સમતાભાવમાં સ્થિર થઈ ઘાતીકર્મોને હણી નાંખ્યાં. સર્વજ્ઞ-વીતરાગ બની ગયા.
૧૮
શામ્યશતક