________________
अहो मोहस्य माहात्म्यं विद्वत्स्वपि विजृभते । अहंकारभवात्तेषां यदंधं करणं श्रुतम् ॥१९॥
: અર્થ : અહો ! વિદ્વાનોમાં પણ મોહનો પ્રભાવ વૃદ્ધિ પામે છે અહંકાર ઉત્પન્ન થવાથી. તેમને શાસ્ત્ર પણ બંધ કરી નાંખે છે.
.: વિવેચન : हहा, मोहकी वासना बुधकुं भी प्रतिकूल, ... या केवल श्रुतअंधता अहंकार को मूल ॥
- ઉપા. યશોવિજયજી તમે વિદ્વાન છો? શાસ્ત્રોના જ્ઞાતા છો?
ભલે, પરંતુ તમને વિદ્વત્તાનું શાસ્ત્રજ્ઞાનનું અભિમાન નથી ને ? અહંકાર નથી ને? જો છે, તો તમે મોહના પ્રભાવ નીચે છો. તમારું શાસ્ત્રજ્ઞાન તમને પ્રકાશ નહીં આપી શકે. કારણ કે તમે સ્વયં અંધ બની ગયા છો ! શાસ્ત્રજ્ઞાનનું અભિમાન અંધાપો આપે છે.. મોહનો અંધાપો. - વિદ્વત્તાનું અભિમાન સ્વોત્કર્ષ કરાવે છે, પરાપકર્મ કરાવે છે. શ્રુતજ્ઞાનનો ગર્વ મનુષ્યને અહંકારી બનાવે છે અને બીજાઓ તરફ તિરસ્કાર કરાવે છે. આ ગર્વ, આ અભિમાન, આ અહંકાર એ જ મોહ
જે શ્રુતજ્ઞાનથી, જે વિદ્વત્તાથી મોહનાં મૂળ ઉખાડીને ફેંકી દેવાના છે, તે જ શ્રુતજ્ઞાનથી અભિમાન કરવાનું? તે જ શ્રુતજ્ઞાનથી મોહનાં મૂળ મજબૂત કરવાનાં? આ તો કેટલી મોટી ભૂલ કહેવાય ?
અજ્ઞાની માણસ મોહના પ્રભાવ તળે આવી જાય એ સામાન્ય વાત છે, પરંતુ જ્ઞાની-વિદ્વાન્ પુરુષ મોહાધીન બની જાય. એ અસાધારણ વાત કહેવાય. પરંતુ મોહ જ ખતરનાક તત્ત્વ છે. એનાથી બચવું ઘણું કપરું કામ છે.” આ વાત સમજાવવા માટે જ ગ્રંથકારે આ શ્લોક લખ્યો છે. મોહના પ્રભાવ નીચે શાસ્ત્ર પણ વિદ્વાને અંધ કરી દે છે....! ૨૦ RAMAMAN શાખ્યશતક