SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ अहो मोहस्य माहात्म्यं विद्वत्स्वपि विजृभते । अहंकारभवात्तेषां यदंधं करणं श्रुतम् ॥१९॥ : અર્થ : અહો ! વિદ્વાનોમાં પણ મોહનો પ્રભાવ વૃદ્ધિ પામે છે અહંકાર ઉત્પન્ન થવાથી. તેમને શાસ્ત્ર પણ બંધ કરી નાંખે છે. .: વિવેચન : हहा, मोहकी वासना बुधकुं भी प्रतिकूल, ... या केवल श्रुतअंधता अहंकार को मूल ॥ - ઉપા. યશોવિજયજી તમે વિદ્વાન છો? શાસ્ત્રોના જ્ઞાતા છો? ભલે, પરંતુ તમને વિદ્વત્તાનું શાસ્ત્રજ્ઞાનનું અભિમાન નથી ને ? અહંકાર નથી ને? જો છે, તો તમે મોહના પ્રભાવ નીચે છો. તમારું શાસ્ત્રજ્ઞાન તમને પ્રકાશ નહીં આપી શકે. કારણ કે તમે સ્વયં અંધ બની ગયા છો ! શાસ્ત્રજ્ઞાનનું અભિમાન અંધાપો આપે છે.. મોહનો અંધાપો. - વિદ્વત્તાનું અભિમાન સ્વોત્કર્ષ કરાવે છે, પરાપકર્મ કરાવે છે. શ્રુતજ્ઞાનનો ગર્વ મનુષ્યને અહંકારી બનાવે છે અને બીજાઓ તરફ તિરસ્કાર કરાવે છે. આ ગર્વ, આ અભિમાન, આ અહંકાર એ જ મોહ જે શ્રુતજ્ઞાનથી, જે વિદ્વત્તાથી મોહનાં મૂળ ઉખાડીને ફેંકી દેવાના છે, તે જ શ્રુતજ્ઞાનથી અભિમાન કરવાનું? તે જ શ્રુતજ્ઞાનથી મોહનાં મૂળ મજબૂત કરવાનાં? આ તો કેટલી મોટી ભૂલ કહેવાય ? અજ્ઞાની માણસ મોહના પ્રભાવ તળે આવી જાય એ સામાન્ય વાત છે, પરંતુ જ્ઞાની-વિદ્વાન્ પુરુષ મોહાધીન બની જાય. એ અસાધારણ વાત કહેવાય. પરંતુ મોહ જ ખતરનાક તત્ત્વ છે. એનાથી બચવું ઘણું કપરું કામ છે.” આ વાત સમજાવવા માટે જ ગ્રંથકારે આ શ્લોક લખ્યો છે. મોહના પ્રભાવ નીચે શાસ્ત્ર પણ વિદ્વાને અંધ કરી દે છે....! ૨૦ RAMAMAN શાખ્યશતક
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy