________________
पर्यवस्यति सर्वस्य तारतम्यमहो क्वचित् । निर्ममत्वमतः साधु कैवल्योपरि निष्ठितम् ॥१५॥
: અર્થ :
અહો ! સર્વે પદાર્થોની તરતમતા (ઓછાવત્તાપણું) કોઈ ઠેકાણે પર્યવસાન પામે છે. (અર્થાત્ સમાપ્ત થાય છે.) પણ એ બધામાં શ્રેષ્ઠ એવું નિર્મમત્વ તો કેવળજ્ઞાનમાં જ પર્યવસાન પામે છે.
: વિવેચન : • મનુષ્યના સુખની સીમા હોય છે, • દેવોનાં સુખની પણ સીમા હોય છે. સુખની જેમ દુઃખોની પણ સીમા હોય છે. પશુઓનાં દુઃખોની સીમા હોય છે,
• નારકી જીવોનાં દુઃખોની સીમા હોય છે...
પરંતુ નિર્મમત્વનું સુખ નિઃસીમ હોય છે ! નિર્મમત્વનું સુખ વિલીન થાય છે કેવળજ્ઞાનમાં, વીતરાગતામાં... અને અંતે મુક્તિમાં. અર્થાત્ નિર્મમત્વ જીવાત્માને પરમસુખ તરફ લઈ જાય છે. નિર્મમત્વની ગંગા, અનંત સુખના સાગરમાં જઈને મળે છે.
નિર્મમત્વના સુખ સિવાયનાં બધાં જ સુખના રેલા સહરાના રણ જેવા સંસારમાં વિલીન થઈ જાય છે. મમત્વજન્ય સુખો ક્ષણિક હોય છે, અલ્પકાલીન હોય છે... વાસ્તવમાં તો એ સુખ હોતા જ નથી, સુખાભાસ હોય છે.
:
મમત્વજન્ય સુખાભાસોમાં મૂઢ બનેલા જીવો, નિર્મમત્વના સુખની કલ્પના પણ કરી શકતા નથી. તેમને આશ્ચર્ય થાય છે ઃ ‘નિર્મમત્વમાં શું સુખ હોય ? નિર્મમત્વમાં સુખ હોઈ જ શકે નહી !' આવા જીવો જન્મથી માંડીને મૃત્યુ સુધી ભિન્ન-ભિન્ન મમત્વ કરતા રહે છે... સુખાભાસોમાં અટવાયા કરે છે અને દુઃખ, અશાન્તિ, ક્લેશ તથા સંતાપની આગમાં બળ્યા કરે છે.
મમતાનો ત્યાગ કરીને આંતરસુખનો એકાદવાર અનુભવ કરી જુઓ ! એના જેવું સુખ તમે કર્યાય કે કયારેય અનુભવ્યું નહીં
હોય !
૧૬
શામ્યશતક