SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ भुव्यभिष्वंग एवायं तृष्णाज्वरभरावहः । निर्ममत्वौषधं तत्र विनियुंजीत योगवित् ॥१४॥ : અર્થ : આ જગતમાં અતિ આસક્િત, તે જ તૃષ્ણારૂપ વરનો મોટો ભાર છે. તે વરને દૂર કરવા યોગીએ નિર્મમત્વરૂપ ઔષધનો ઉપયોગ કરવો જોઈએ. : વિવેચન : અતિ આસક્િત એ જ તૃષ્ણા છે. તૃષ્ણા જવર છે, તાવ છે. તીવ્ર જવરથી વ્યથિત મનુષ્યનું શરીર ભારેભારે લાગે છે, માથું પણ ભારે લાગે છે, દુઃખે છે. તૃષ્ણા, વિષયતૃષ્ણા... ભોગતૃષ્ણાથી જીવાત્મા તપી જાય છે, ભારેખમ બની જાય છે. વિષયતૃષ્ણાનો તીવ્ર તપારો જીવને હેરાનપરેશાન કરી મૂકે છે. તેમાંય જ્યારે અનેક વિષયોની, અનેક પદાર્થોની તૃષ્ણા જાગે છે.... ત્યારે તો જીવની આંતર-બાહ્ય સ્થિતિ ગંભીર બની જતી હોય છે. શરીર-શાતાની તૃષ્ણા, પ્રિય ભોજનની તૃષ્ણા, પ્રિય શબ્દની તૃષ્ણા, પ્રિય સ્પર્શની તૃષ્ણા, યશકીર્તિની તૃષ્ણા, માન-સન્માનની તૃષ્ણા, ધનસંપત્તિની તૃષ્ણા, પુત્ર-શિષ્યાદિની તૃષ્ણા... આવી બધી તૃષ્ણાઓ ૧૦૫ ડીગ્રીના જવર હોય છે.... જીવો તરફડતા હોય છે. જીવોનો આ દુઃખપૂર્ણ તરફડાટ જોઈને જ્ઞાની પુરુષ, એ જવરને દૂર કરવાનું અમોઘ ઔષધ બતાવે છે ઃ નિર્મમત્વ ! તૃષ્ણાનો તાવ ઉતારવા માટે નિર્મમત્વનું ઔષધ લેવું પડે. આ જેવું તેવું ઔષધ નથી, અમોઘ ઔષધ છે. અને આ જ એક-અદ્વિતીય ઔષધ છે. તૃષ્ણાના તાવને ઉતારવા માટે બીજું કોઈ ઔષધ નથી. જો તમે તૃષ્ણાના જ્વરથી પીડાઓ છો તો તમે જરાય વિલંબ કર્યા વિના નિર્મમત્વનું ઔષધ લઈ લો. એનું નિત્ય સેવન કરો. તમે જ્વરમુક્ત બનશો, નિરોગી બનશો. શાખ્યશતક RINGANGASANA ૧૫
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy