________________
अष्टांगस्यापि योगस्य रहस्यमिदमुच्यते । यद् विषयासंगत्यागान्माध्यस्थ्य – सेवनम् ॥८॥
: અર્થ :
વિષયોની આસક્તિનો ત્યાગ કરી, માધ્યસ્થ્યભાવ (સમતા)ને સેવવો, એ અષ્ટાંગ યોગનું રહસ્ય કહેવાય છે.
: વિવેચન :
યોગની પિરભાષા આ કરવામાં આવી છે
क्लिष्टचित्तवृत्तिनिरोधो योगः ।
ચિત્તની ક્લિષ્ટ-અશુભ વૃત્તિઓનો નિરોધ, તે યોગ છે. જ્યાં સુધી ઇન્દ્રિયોના વિષયોની આક્તિનો ત્યાગ ન થાય ત્યાં સુધી ચિત્તની અશુભ વૃત્તિઓનો નિરોધ ન થઈ શકે. અને ચિત્તવૃત્તિઓનો નિરોધ ન થાય ત્યાં સુધી માધ્યસ્થ્ય ભાવ, સમતાભાવ ન આવી શકે.
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ-આ અષ્ટાંગ યોગ છે. આ અષ્ટાંગ યોગની સાધનાનું તાત્પર્ય છે શામ્યભાવની પ્રાપ્તિ, માધ્યસ્થ ભાવની પ્રાપ્તિ ! ન પ્રિય વિષયોમાં રાગ, ન અપ્રિય વિષયોમાં દ્વેષ !
વિષયોમાં પ્રિયાપ્રિયત્નની કલ્પના જ નથી કરવાની. ‘આ પ્રિય, આ અપ્રિય, આ ઇષ્ટ, આ અનિષ્ટ...' આવા વિકલ્પોથી મનને મુક્ત કરવાનું છે. આવા વિકલ્પોથી મન મુક્ત બન્યું, કે માધ્યસ્થ્ય ભાવ આવ્યો સમજવો ! અને માધ્યસ્થ્ય ભાવ આવ્યો એટલે અષ્ટાંગ યોગ સિદ્ધ થયો સમજવો !
વિષયોની આસક્તિથી મુકત થવ્રા, ઉપાધ્યાયશ્રી યશોવિજયજી એક શ્રેષ્ઠ ઉપાય બતાવે છે - ‘જ્ઞાન-ધ્યાન રંગ રોલ !’ તમે આત્મજ્ઞાનમાં, આત્મધ્યાનમાં રમતા રહો... બસ, વિષયોમાં મન જશે જ નહીં. જ્ઞાન-ધ્યાનનો રંગ લાગી જવો જોઈએ.
અષ્ટાંગ યોગની સાધનાનું ફળ માધ્યસ્થ્ય ભાવ છે. એ માધ્યસ્થ્ય ભાવ (સમત્વ) વિષયાસક્તિના ત્યાગથી આવે. વિષયાસક્તિનો ત્યાગ, જ્ઞાન-ધ્યાનની રમણતાથી થાય.
台
શામ્યશતક
૯