________________
રાપ–પરિત્યાદિષષ્ય વર્તન / औदासीन्यमिति प्राहुरमृताय रसांजनम् ॥१॥
: અર્થ : વિષયોમાં રાગ-દ્વેષ વિના પ્રવર્તવું, તેને ઔદાસીન્ય કહેવાય. તે ઔદાસીન્ય (સમત્વ) મોક્ષ (અમૃત) માટે રસાંજન (ઔષધરૂપ) છે.
.: વિવેચન : ગ્રંથકારે ઉદાસીનતાની વ્યાખ્યા આપી છે આ. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં રાગ-દ્વેષ કર્યા વિના પ્રવર્તવું, પ્રવૃત્તિ કરવી, તેનું નામ ઉદાસીનતા. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ આ શ્લોકનો અર્થ આ રીતે કર્યો છે :
અનાસંગમતિ વિષયમેં રાગ-દ્વેષ કો છેદ,
સહજભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ. ‘સહજભાવમાં લીનતા થવી, તેનું નામ ઉદાસીનતા ! સહજ ભાવમાં લીનતા તો જ થાય, જો રાગ-દ્વેષનો નાશ થાય. રાગ-દ્વેષનો નાશ તો જ થાય, જો મનુષ્યની મતિ અનાસક્ત બની હોય.
મનને વિષયોમાં અનાસક્ત બનાવવા માટે નીચે પ્રમાણે ચિંતન કરવું જોઈએ. – વિષયો પ્રત્યે મનને જે રાગ-દ્વેષ થાય છે, તે તેના માત્ર વિકલ્પો
જ હોય છે. કોઈ વિષય કાયમ માટે ઈષ્ટ નથી હોતો કે કાયમ માટે અનિષ્ટ નથી હોતો. આજે જે ઈષ્ટ લાગે છે તે કાલે અનિષ્ટ લાગી શકે છે, આજે જે * અનિષ્ટ લાગે છે તે કાલે ઇષ્ટ લાગી શકે છે. મનની વિકલ્પ-જાળ મુજબ રાગ-દ્વેષ જન્મે છે. માટે વિકલ્પોનો નાશ થતાં રાગ-દ્વેષનો નાશ થાય છે. વાસ્તવમાં રાગ કે દ્વેષ તાત્ત્વિક નથી. પ્રિય - અપ્રિયની કલ્પનાઓનો ત્યાગ કરો. એટલે ચિત્તમાં સ્થિરતા આવશે. એ સ્થિરતાનું નામ સમતા છે. એ સમતા જ ઉદાસીનતા છે.
૧૦
GSSSSSSS શામશતક