________________
यः कश्चिन्न लयः साम्ये मनागाविर्मन्मम ।। तमाशु वचसां पात्रं विधातुं यतते मतिः ॥७॥
: અર્થ : મને સમતામાં કોઈ જાતનો લય જરા પણ પ્રગટ થયો નહીં, તેથી હવે મારી બુદ્ધિ તે લયને તત્કાળ વચનનો વિષય કરવાનો પ્રયત્ન કરે છે.”
: વિવેચન :
લય !
આત્મજ્ઞાનમાં તન્મયતા ! સમતામૃતના સાગરમાં સર્વાગીણ સ્નાન ! '
ઘણી-ઘણી ઇચ્છા આવું સ્નાન કરવાની છે, આત્મજ્ઞાનમાં તન્મય બનવાની છે. નિત્યાનંદની અનુભૂતિ કરવાની છે. પરંતુ આજ સુધી, વર્તમાન ક્ષણ સુધી એ ઇચ્છા અધુરી જ રહી છે. કયારે એ ઇચ્છા પૂર્ણ થશે...ખબર નથી... મન અકળાય છે... હૃદય આક્રન્દ કરે છે...
ત્યારે બુદ્ધિ, એ અનુભવગમ્ય લયને શબ્દોમાં બાંધવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.... અનુભવને શબ્દોમાં કેવી રીતે અભિવ્યક્ત કરી શકાય? - ખાંડનો સ્વાદ, - મધની મધુરતા, - ભોગસુખની અનુભૂતિ..
જેમ વચનોમાં, શબ્દોમાં વર્ણવી શકાતી નથી, તેમ આ ‘લયને વચનોમાં વ્યક્ત કરી શકાતો નથી. છતાં બુદ્ધિ એવો પ્રયત્ન કરવા તત્પર બને છે ! ગ્રંથકાર આચાર્યદવ, આવા સમતારસ’નું વર્ણન કરવા આ “શામ્યશતક' ગ્રંથની રચના કરવા તત્પર બન્યા છે. ઘણું-ઘણું દુષ્કર કાર્ય છે આ.
છતાં, ગ્રંથકારે દુષ્કર કાર્યને ઘણું પાર પાડયું છે, એમ આ ગ્રંથનું અધ્યયન - અવગાહન કરતાં સમજાય છે. તેમણે અંતરાત્માને સમતામૃતના સાગરમાં ડૂબકીઓ મારવા ઉત્તેજિત તો જરૂર કર્યો છે! ૮ SCRASANGANGASAN શાખ્યશતક