________________
नित्यानन्द-सुधारश्मेरमनस्ककलामला । अमृतं स्यादिमं बीजमनपाया जयत्यसौ ॥६॥
અર્થ : નિત્ય આનંદસ્વરૂપ ચંદ્રની અમનસ્કતારૂપ નિર્મળ કળા, અમૃત (મોક્ષ) નું મૂળ બીજ છે. એવી એ શાશ્વત્ કળા જય પામે છે.
.: વિવેચન : જેમ ચંદ્રની કળા અમૃતનું બીજ કહેવાય છે, તેમ નિત્યાનંદની નિર્મળ કળા મોક્ષનું બીજ છે ! નિત્યાનંદની નિર્મળ કળા છે અમનસ્કતા ! આ અમનસ્કતા એટલે ઉન્મનીભાવ. એવી અમનસ્કતા પ્રાપ્ત કરવા માટે સર્વપ્રથમ અનાસક્ત બનવું જોઈએ. તમામ પ્રકારની આસક્તિઓમાંથી મન મુક્ત થઈ જાય, પછી જ અમનસ્ક ભાવ પ્રગટે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી તો કહે છે :
ચિદાનંદ-વિધુકી કલા અમૃતબીજ અપાય,
જાને કેવળ અનુભવી, કિનહિ કહી ન જાય. નિત્યાનંદ એટલે ચિદાનંદ! ચિદાનંદની કલા (અમનસ્કતા) અમૃતબીજ છે. એને માત્ર અનુભવી જ જાણી શકે છે, એને વાણીમાં - વચનમાં બાંધી ન શકાય ! ‘ઉન્મનીભાવ' વચનનો વિષય નથી, અનુભવનો વિષય છે.
આ નિત્યાનંદને, આ ચિદાનંદને “યોગસાર' ગ્રંથમાં ‘સહજાનંદ' કહેલો છે. सहजानन्दता सेयं सैवात्मारामता मता ।।
उन्मनीकरणं तद् यद् मुनेः शमरसे लयः ॥(योगसारे-९९) - મુનિનો સમભાવરૂપી રસમાં જે લય થાય તે જ સહજાનંદતા છે. તે જ આત્મારામતા છે અને તે જ ઉન્મનીભાવ (મનનો નાશઉદાસીનતા) છે.
ગ્રંથકાર મહર્ષિ નિત્યાનંદની આવી શાશ્વત્ કળાની જય બોલાવે છે ! એમની સાથે આપણે પણ એ શાશ્વત્ કળાની જય બોલીએ ! જ શાગ્યશતક