SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ आस्तामयं लयः श्रेयान् कलासु सकलास्वपि । निष्कले किल योगेऽपि स एव ब्रह्मसंविदे ॥५॥ : અર્થ : સર્વ કળાઓમાં શ્રેષ્ઠ લય છે, એ વાતને છોડો, પરંતુ સંપૂર્ણ નિષ્કલ) યોગમાં પણ એ જ લય, બ્રહ્મજ્ઞાન માટે બને છે. : વિવેચન : ઉપાધ્યાયશ્રી યશોવિજયજી ‘સમતાશતકમાં આ શ્લોકનો અર્થ આ પ્રમાણે કરે છે ? સકલ કલામાં સાર લય, રહો દૂર સ્થિતિ એહ, સકલ યોગમાં ભી સકલ, લય કે બ્રહ્મ વિદેહ ‘આત્મજ્ઞાન મેળવવાની બધી જ કળાઓમાં શ્રેષ્ઠ કળા આ લય છે !' આ વાતને હાલ એક બાજુ રાખીએ, તો પણ, જો આ લય, મનવચન-કાયાના યોગોમાં આવી જાય તો પણ બ્રહ્મજ્ઞાન પ્રગટી શકે છે. મન-વચન-કાયાના યોગોમાં સ્થિરતાને ગ્રંથકાર લય કહે છે. આવો લય, આવી તલ્લીનતા આવી જાય તો પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે साम्यं मानसमावेषु साम्यं वचनवीचिषु । साम्यं कायिकचेष्टासु साम्यं सर्वत्र सर्वदा ॥ स्वपता जाग्रता रात्रौ दिवा चाखिलकर्मसु । कायेन मनसा वाचा साम्यं सेव्यं सुयोगिना ॥ (યોસ - ૨૦૦/૧૦૦) ઉત્તમ યોગીએ, મનના વિચારોમાં, વચનના તરંગોમાં, કાયાની ચેષ્ટાઓમાં, દરેક સ્થળે અને દરેક ક્ષણે, સૂતાં ને જાગતાં, રાત્રે કે દિવસે, બધાં જ કાયમાં મન-વચન-કાયાથી સામ્ય સેવવું જોઈએ અથતુ સમભાવ રાખવો જોઈએ. આવો સમભાવ એ પણ લય' છે ! આ લય યોગીને આત્મજ્ઞાની બનાવે છે ! માટે સમભાવ રાખવા, સતત જાગ્રત રહેવાનું છે. * ૬ SRINAGAR GANGA શાભ્યશતક
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy