________________
आस्तामयं लयः श्रेयान् कलासु सकलास्वपि । निष्कले किल योगेऽपि स एव ब्रह्मसंविदे ॥५॥
: અર્થ : સર્વ કળાઓમાં શ્રેષ્ઠ લય છે, એ વાતને છોડો, પરંતુ સંપૂર્ણ નિષ્કલ) યોગમાં પણ એ જ લય, બ્રહ્મજ્ઞાન માટે બને છે.
: વિવેચન : ઉપાધ્યાયશ્રી યશોવિજયજી ‘સમતાશતકમાં આ શ્લોકનો અર્થ આ પ્રમાણે કરે છે ?
સકલ કલામાં સાર લય, રહો દૂર સ્થિતિ એહ,
સકલ યોગમાં ભી સકલ, લય કે બ્રહ્મ વિદેહ ‘આત્મજ્ઞાન મેળવવાની બધી જ કળાઓમાં શ્રેષ્ઠ કળા આ લય છે !' આ વાતને હાલ એક બાજુ રાખીએ, તો પણ, જો આ લય, મનવચન-કાયાના યોગોમાં આવી જાય તો પણ બ્રહ્મજ્ઞાન પ્રગટી શકે છે.
મન-વચન-કાયાના યોગોમાં સ્થિરતાને ગ્રંથકાર લય કહે છે. આવો લય, આવી તલ્લીનતા આવી જાય તો પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે
साम्यं मानसमावेषु साम्यं वचनवीचिषु । साम्यं कायिकचेष्टासु साम्यं सर्वत्र सर्वदा ॥ स्वपता जाग्रता रात्रौ दिवा चाखिलकर्मसु । कायेन मनसा वाचा साम्यं सेव्यं सुयोगिना ॥
(યોસ - ૨૦૦/૧૦૦) ઉત્તમ યોગીએ, મનના વિચારોમાં, વચનના તરંગોમાં, કાયાની ચેષ્ટાઓમાં, દરેક સ્થળે અને દરેક ક્ષણે, સૂતાં ને જાગતાં, રાત્રે કે દિવસે, બધાં જ કાયમાં મન-વચન-કાયાથી સામ્ય સેવવું જોઈએ અથતુ સમભાવ રાખવો જોઈએ.
આવો સમભાવ એ પણ લય' છે ! આ લય યોગીને આત્મજ્ઞાની બનાવે છે ! માટે સમભાવ રાખવા, સતત જાગ્રત રહેવાનું છે. * ૬ SRINAGAR GANGA શાભ્યશતક