________________
साम्यपीयूषपाथोधि-स्नाननिर्वाणचेतसाम् । योगिनामात्मसंवेद्यमहिमा जयताल्लयः ॥४॥
: અર્થ : સમતારૂપી અમૃતના સાગરમાં સ્નાન કરવાથી જેમનાં ચિત્ત શાન્ત થયાં છે, તેવા યોગીઓનો આત્મજ્ઞાનમાં તન્મય થવારૂપ લય જય પામો, કે જે લયનો મહિમા, આત્માનુભવરૂપ છે.
.: વિવેચન : શું તમારે આત્માનુભૂતિ કરવી છે? શું તમારે આત્માનુભૂતિનો પરમાનન્દ પામવો છે? તો તમે આત્મજ્ઞાનમાં તન્મય બનો ! તો તમે આત્મજ્ઞાનમાં લયલીન બનો! આ લય, આ લયલીનતા તમને બ્રહ્માનંદ આપશે !
પરંતુ આત્મજ્ઞાનમાં લયલીનતા યોગીપુરુષો જ પામી શકે છે, કારણ કે યોગીપુરુષો જ સમતામૃતના મહાર્ણવમાં સર્વાગીણ સ્નાન કરતા હોય છે. આવું દિવ્ય સ્નાન કરીને તેઓ ચિત્તને શાન્ત કરતા હોય છે.
આત્માનુભૂતિ કરાવનાર લય જય પામો! આત્મજ્ઞાનમાં તન્મયતારૂપ લય જય પામો !
મહત્વની વાત છે સમતામૃતના મહાસાગરમાં સ્નાન કરતા રહેવાની. ગ્રંથકાર આચાર્યદેવ, સમતાને અમૃતનો મહાસાગર કહે
છે ! એ મહાસાગરમાં સ્નાન કરનાર જ શાન્તિ પામે છે. એટલે કે ચિત્ત'શાન્તિનો રાજમાર્ગ છે સમતાભાવમાં રમણતા. સદેવ.... ક્ષણેક્ષણ સમતાભાવમાં રહેવાનું ! - તમે ગૃહસ્થ હો કે મુનિ હો, સંસારી હો કે સાધુ હો, તમારે જો ચિત્તશાંતિ જોઈએ છે તો સમતારસનું જ અમૃતપાન કરતા રહો, સમતામૃતના સાગરમાં જ નિમજ્જન કરતા રહો. ચિત્ત શાંત થશે એટલે આત્માનુભવ થશે જ. તમને ‘લય'ની પ્રાપ્તિ થશે. * શામ્યશતક (SANSKARNAARAK ૫