SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭૨ : પંચસૂત્ર છે. બસ, તો પછી આવા અંતકાળે સ્વીકારાતાં શરણની જેમ જ ચાલુ જીવનમાં પણ એ પરિસ્થિતિ મનમાં લાવી, દા.ત., “કોને ખબર પછીની જ ઘડીએ હું જીવંત હોઈશ કેમ ?' એમ સમજીને, એજ પ્રમાણે ગદ્ગદભાવ વગેરે સાથે શરણ સ્વીકારવાં જોઈએ. ___ सूत्र : जावजीवं मे भगवंतो परम तिलोगनाहा अणुत्तरपुण्णसंभारा, खीणरागदोसमोहा, अचिंतचिंतामणी, भवजलहिपोआ, एगंतसरणा, अरहंता અર્થ :- જીવનભર મારે ભગવાન પરમ ત્રિલોકનાથ, ઉત્કૃષ્ટ પુણ્ય સમૂહવાળા, રાગ-દ્વેષ-મોહનો ક્ષય કરી ચુકેલા, અચિંત્યચિંતામણિ, ભવસાગરમાં જહાજ, એકાંત શરણ કરવા યોગ્ય અરિહંત દેવો શરણ છે. વિવેચન :- (૧) હવે અહીં અરિહંત ભગવાનનું શરણ સ્વીકારવામાં આવે છે. જાવજજીવ મે ...' એ પાઠમાં અરિહંત પ્રભુના વિશિષ્ટ વિશેષણો છે. તેના તેના દ્વારા તે તે રીતે એમના પ્રત્યે સચોટ શ્રદ્ધા અને અતિશય આદરવાળા બનવાનું છે, એ ભૂલવાનું નથી; તો જ એ શરણ સ્વીકાર્યું સફળ થાય. “જીવનભર આર્યન્ત ભગવંતો મારે શરણ હો' આ એક જાતની પ્રતિજ્ઞા જેવું છે. જો માત્ર સામાન્ય ભાવનારૂપ અભિલાષા હોત, તો તો તે તો આગળ ભવાંતર માટે પણ કરી શકત; પરંતુ માવજજીવની મર્યાદા ન બંધાત. મર્યાદા બાંધી છે તે ભવાન્તરમાં અજ્ઞાનતાએ કદાચ એનો ભંગ ન થઈ જાય એ હેતુએ; અને ભંગનો ભય પ્રતિજ્ઞામાં હોવાનું ગણાય, પણ અભિલાષામાં નહિ. એટલે શરણ સ્વીકારનારે ધ્યાનમાં એ રાખવાનું કે આ શરણ આ જીવનના અંત સુધી રહે. હવે એમનું શરણ મૂકાય નહિ. અને બીજાનું શરણ સ્વીકારાય નહિ. અહીં “અરુહંત' એટલે જેમનામાં કર્મનો અંકુર નથી ઉગતો તે. “અરહંત' એટલે રહ -રહસ્ય વિનાના અર્થાત જેમને જગતની ત્રણે કાળની કોઈ વાત ગુપ્ત નથી તે. “અરિહંત' એટલે અષ્ટ પ્રાતિહાર્યની ઋદ્ધિને જે અર્પે છે, યોગ્ય છે. તે “ભગવંત' એટલે ભગ અર્થાત્ પરમ ઐશ્વર્યા-રૂપ-યશ-જ્ઞાન-ધર્મવાળા. એ “પરમત્રિલોકનાથ' છે. દુન્યવી (લૌકિક) નાથ કદાચ આ લોકના કેટલાય ભયમાંથી બચાવે; જ્યારે આ ત્રણે લોકના શ્રેષ્ઠ લોકોત્તર નાથ દુર્ગતિના ભયથી બચાવે છે, ભાવી દીર્ઘ સંસારથી બચાવે છે, જુગજુગની જન્મ-જરા મૃત્યુની જટિલ જંજાળમાંથી સંરક્ષે છે. આ વિશેષણની શ્રદ્ધા મનાવે છે કે “હું નાથ તો અહંતને જ માનું. હજી જગતમાં કોઈ કરોડોની ઋદ્ધિ આપી દરિદ્રતાથી બચાવે, ઔષધ આપી મહા રોગથી બચાવે, સહારો આપી નિરાધારતાથી બચાવે, સેવા કરી અગવડથી
SR No.005959
Book TitlePaap Pratighat ane Gun Bijadhan
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Satsang Mandal Saila
PublisherRaj Saubhag Satsang Mandal Saila
Publication Year
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy