SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ સમાધિશતકમ અર્થ–દેહથી ભિન્ન કરીને આત્માની આત્મામાં એવી રીતે ભાવના કરવી કે જેથી સ્વપ્નમાં પણ ફરી વાર દેહને આત્મા સાથે વેગ ન થાય. - ભાવાર્થ પ્રથમ તે પુગલ તે હું નથી, એવી દઢ ભાવના કરવી. પશ્ચાત અરૂપી અસંખ્ય પ્રદેશી આત્મા તેજ હું છું, એવી ભાવના ભાવવી. સતત દઢ ઉપગ રાખે. આત્મા વિના અન્ય સર્વ વસ્તુ પિતાની નથી, એમ હૃદયમાં નિશ્ચય કરે. પિતાના સ્વરૂપમાં એક સ્થિર ઉપ ગમાં વર્તવું કે અન્ય કોઈ પદાર્થને જરામાત્ર પણ વિકલ્પ ઉત્પન્ન થાય નહિ. નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય એમ સતત અભ્યાસ કરે. સ્વપ્નમાં દેહ સાથે આત્માને યોગ થાય, એટલે સુધી અભ્યાસ વધારે. આવી દશા તેજ મોક્ષમાર્ગનું પગથિયું છે. આવી દશા જેને હોય, તેજ પુરુષ મેટામાં મોટો સમજવો. કઈ મુનિરાજ તપ કરે કેઈ અભ્યાસ કરે, તેના, કરતાં પણ આત્માની આવી ધ્યાન દશામાં વર્તે તે મહા મેટા પુરુષ સમજવાં? કયાં સંકલ્પ વિકલ્પ દશા? અને કયાં નિર્વિકલ્પ દશા? કયાં આકાશ? અને કયાં પાતળા? તેટલે ફેર આમાં વતે છે. બાહ્ય ઉપાધિ ઉપરથી જ્યારે ત્યાગ ભાવ થાય, અને સારામાં સાર આત્મા જ છે એમ સત્ય જ્યારે હૃદયમાં ભાસે ત્યારે આત્માના ધર્મ ઉપર રુચિ થાય છે.
SR No.005956
Book TitleSamadhishatakam
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1990
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy