SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતકમ શરીર એ આત્માને રહેવાનું સ્થાન છે. આયુષ્યની પૂર્ણ વસ્થાએ શરીર છૂટી જાય છે. શરીર છૂટી જતાં આત્માના કરેલાં કર્માનુસાર પરગતિમાં ગમન કરે છે. ત્યાં પુણ્ય પાપના અનુસાર સુખ દુઃખના સાધન પામી, સુખ દુઃખ ભોગવે છે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી, અન્ય ગતિમાં આત્મા ગમન કરે છે. એમ કર્મ સત્તાથી પુનઃ પુનઃ અનેક પ્રકારનાં શરીર ધારણ કરી સુખ દુઃખ ભેગવે છે. અનાદિ કાળથી આ આત્માએ ચાર ગતિમાં અનેકશઃ જન્મ ધારણ કરી અનેક શરીર ધારણ કર્યા, પરંતુ પાર આવ્યા નહિ. અનેક ભવમાં અનેક શરીર ઉપર મમતાં-પ્રેમ રાખે, પણ કોઈ શરીર પિતાનું થયું નહિ. તે હવે આ શરીર જે હાલ ચહ્ન વડે દેખાય છે, તે પણ અને પિતાનું ક્યાંથી થવાનું? જ્ઞાનીઓ પૂર્વોક્ત ભેદજ્ઞાનથી દઢ ભાવના ધારણ કરી શરીરને પિતાનું કદી માનતા નથી જ અને અંતે શરીર નષ્ટ થતાં આત્માને તેથી ત્યારે ભાવે છે અને સંસારીક પદાર્થોમાંથી મમતાભાવ દૂર કરે છે અને સમતાભાવ ક્ષણે ક્ષણે સેવે છે. * જે ભવ્ય પિતાના આત્માની સિદ્ધિ કરવાને મમતા ત્યાગી સમતા આદરી તે પુરુષ આ ભવ તથા પરભવના. સઘળા વૈરભાવને ટાળી નાખે છે. એવા સમતાધારી મુની. ધરની પાસે વસતા જાનવરો પણ પિતાને જાતિવૈરભાવ ,
SR No.005956
Book TitleSamadhishatakam
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1990
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy