SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે તેના કેટલાક રૂપિયા તેના ગુમાસ્તાઓ તથા તે મુલકના કેટલાક રહેનારાઓ પાસે લહેણું છે અને તે લહેણું ડુબાવવા એ દેવાદારો હરતહેલો કરે છે અને તે પાદશાહની હજુરમાંથી એક મેટે હુકમ એ લહેણું વસુલ કરાવવાની સરકારથી મદદની ઉમેદ રાખે છે તેથી પાદશાહી હુકમ ફરમાવવામાં આવે છે કે એ લખમીચંદનું જે લેકે પાસે લહેણું હોય અને તે કહેણાની સાચા સાબિત થવાથી તેને તેને હિસાબ સાબીત કરવામાં જે મદદ અને કોશીશ કરવી જોઈએ તે કરવી એટલા માટે દેણદારે તેનું દેણું તેઓ ડુબાવે નહિ. તા. ૧૬ મી મહીને જેમાજે અવલ ૫ મે સને જુલુસ મુબારક ૧લી. મુનશી અબદલાની સહી, મુકાબલ કરનાર પ્રાણજીવન નથુભાઈ, ૨, કારકુન. શેઠ પ્રેમાભાઇ હેમાભાઈ તરફથી નકલ માગી. તા. ૨૦ જુલાઈ સને ૧૮૮૩. નકલ શેર થયે તા. ૨૧ જુલાઈ સને ૧૮૮૩. નકલ તૈયાર થઈ તા. ૨૪ જુલાઈ સને ૧૮૮૪ મુ. રાજકોટ. ખરી નકલ. J. M. HUNTER. આસી. પિ. એજન્ટ. નવ નં. રે. રાજેશ્રી કુમાલસદાર તથા લખતંગ વર્તમાન ભાલ શહેર અમદાવાદ ગોશાલીઆશી. અખંડીત લક્ષ્મિ અલંત રાજમાન સનેહાકીંત રઘુનાથ બાજીરાવ આશરવાદ તા. નમસકાર સહર સન શલાસબમશન મઆવ અલફ નથુશાંવલદ ખુશાલચંદ નગરશેઠ શહેર મજકુર એમણે હજુરમાં આવીને અરજ ગુજારી કે અમે શેઠ અસલના વતનદાર બાદશાહની ચાકરી કરતા આવ્યા છીએ અને સને ૧૧૩૭ના વરસમાં હમીદખાનના મનમાં મરાઠાઓની કેજે આવીને શહેરના આસપાસ મરચાં દીધાં અને શહેર લઇને તૈયત લુંટવી એવી ધાસ્તી નાંખી. તે ઉપરથી ઉઘમ વેપાર સર્વે શહેરમાં બંધ થયા. શહેરમાંથી કોઈ બહાર જઈ આવી ન શકે એવું થયા ઉપરથી શહેરના શાહુકાર વગેરે લેકો ઘણાજ હેરાન થયા. તે ઉપરથી અમારા તીર્થરૂપ ખુશાલચંદ એમણે મહેનત તથા ધીરજથી મરેઠા સરદારને મળીને સરકારમાં ગાંઠના પૈસા ખરચ કરીને મરેઠાઓની
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy