________________
પ.
પંડિતપદ, આ વખતે તપગચ્છમાં પટ્ટધર વિજયધર્મસુરિ વિરાજતા હતા, તેમણે સંવત ૧૮૧૦ માં રાધણપુરમાં, પ્રેમથી પદ્મવિજયજીને પંડિત પદ આપ્યું.
વિહાર. રાધણપુરથી સંધ લઈ ગિરનાર ગયા, પછી નવાનગરમાં યાત્રા કરી વિમલાચલ (શત્રુંજય) ગયા. પછી ભાવનગરમાં શેઠ કુંવરજી લાધાના આગ્રહથી માસું રહ્યા. અહીં તેમના ગુરૂએ તેને બહકલ્પ સૂત્રની ટીકા વંચાવી. પછી સંવત ૧૮૧૩ અને ૧૮૧૪ માં સુરતમાં ચોમાસું કર્યું. અહીં તારાચંદ સંઘવીએ ઉપધાન વહેવરાવ્યાં. પછી બહણિપુર (બુરાણપુર)ના સંઘે આગ્રહ કરવાથી ઉત્તમવિજ્યજી ગુરૂએ પંડિત પદ્મવિજ્યજીને ત્યાં ચોમાસું કરવા મોકલ્યા. પંડિતજી દક્ષિણ દેશ તરફ ચાલ્યા. ત્યાં લોકોને ઉપદેશથી મુગ્ધ કરી બહણિપુર આવ્યા, અને સામૈયું આદિ ભારે ધામધુમ કરવામાં આવી. ત્યાં સ્થાનકવાસી સાથે વાદ કરી જશવાદ લીધે સંવત ૧૮૧૫-૧૬ એમ બે માસાં ત્યાં કર્યા. ત્યાંથી વિહાર કરી ખંભાત આવ્યા અને સંધના આગ્રહથી ચોમાસું રહ્યા. પ્રથમ અંગ વ્યાખ્યાન શરૂ કર્યું. ત્યાંથી શત્રુંજય આવી ગુરૂને વંદના કરી. આ વખતે પાલીતાણા શહેરમાં શેઠ રૂપચંદ ભીમે સુંદર જિનપ્રાસાદ કરાવી અનેક બિબોની પ્રતિષ્ઠા કરાવી; આ વખતે ઘેઘાના સંધે વિનતિ કરી કે અમારે ત્યાં અમીચંદ્ર પ્રભુનું મંદિર તૈયાર થયું છે તે ત્યાં પ્રતિષ્ઠા કરવા પધારે, તે વખતે ગુરૂએ પદ્મવિજયજીને મોકલ્યા. અહીં નવખંડા પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કર્યો. અને ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરી. પછી પાટણ તરફ વિહાર કર્યો, ત્યાં મારું કરી સિદ્ધપુર, પાલણપુર એમ ફરી આબુગઢની યાત્રા સંઘસહિત કરી. ત્યાંથી રધણપુરમાં બે ચોમાસાં કરી સિદ્ધપુરમાં સંવત ૧૮૨૧ માં ચોમાસું કર્યું ત્યાંથી રાજનગર જાત્રા કરી સુરત આવ્યા. ત્યાં તારાચંદ સંઘવીને બસો પંચાણુ બિંબની પ્રતિષ્ઠા સિંદ્ધાચળમાં કરવાની ઈચ્છા થઈ તે પદ્મવિજયજીએ પૂરી પાડી. પછી સમેતશિખર યાત્રા કરી, અને ત્યાં સગાળચંદ ઓશવાળે (મક્ષદાબાદ શહેર વાસીએ) એક દેવળ કરાવ્યું તેમાં પ્રતિષ્ઠા કરી. સંવત ૧૮૨૫ માં નવસારી ચોમાસું કરી ઉત્તમવિજય ગુરૂ સાથે રાજનગરમાં આવ્યા, ત્યાં સંવત ૧૮૨૭ માહા શુદિ ૮ ને દિને રવિવારે ઉત્તમવિજ્યજી ગુરૂ કાલધર્મ પામ્યા.
સં. ૧૮૩૦ માં સાણંદ માસું કર્યા પછી રાજનગરમાં ત્રણ માસાં ફરી વાર કર્યો. ત્યાર પછી વિસનગરમાં બે કર્યું, ત્યાં ભગવતીસૂત્રનું વ્યાખ્યાન