________________
એમ ચોખ્ખું લખેલ છે. આ સંબંધમાં વીરવિજયજી ૧૮ મા સૈકામાં થઈ ગયા તેના પહેલાને સમય જોઈએ તે વિશેષ સમર્થન મળે છે, કે શ્રી યશોવિજયજીએ સહાય આપી છે.
શ્રી યશોવિજયજી પિતે ૩૫૦ ગાથાના સ્તવનને અંતે લખે છે કેતાસ માટે વિજયદેવસૂરી સરૂ, પાટ તસ ગુરૂ વિજયસિંહ ઘેરી; જાસ હિત શીખથી માર્ગ એ અનુસર્યો, જેહથી સવિ ટલી કુમતિ ચોરી.
આના પર સં. ૧૮૩૦ માં ટબ કરનાર શ્રી પદ્મવિજ્યજી અર્થ પૂરે
“ વળી તેને પાટે શ્રી વિજયદેવસૂરિ થયા, તથા તેમના માટે શ્રી વિજયસિંહસૂરિ તે ગચ્છનો ભાર વહેવાને વૃષભ સમાન ધોરી થયા જેમની હિતશીખ-આજ્ઞા પામીને મેં એ સંવેગ માર્ગ આદર્યો, એટલે એ ભાવને શ્રી જશોવિજયજી ઉપાધ્યાયે પણ એની આજ્ઞા પામીને ક્રિયાઉદ્ધાર કર્યો, તથા શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય અનેક હતા તેમાં સત્તર શિષ્ય સરસ્વતી બિરૂદધારી હતા તે સર્વમાં મોટા શિષ્ય પંડિત શ્રી સત્યવિજ્યગણ હતા તેમણે શ્રી પૂજ્યની (વિજયસિંહરિની ) આજ્ઞા પામી ક્રિયાઉદ્ધાર કીધે તે માટે એમ કહ્યું જે માર્ગ એ અનુસર્યો-એ સંવેગ માર્ગ આદર્યો, જે આદરવા થકી તીર્થકર અદત્ત ગુરૂ અદત્ત, ઈત્યાદિ કુમતિકદાગ્રહરૂપ ચેરી ટલી ગઈ.”
(૫) સમકાલિન વિદ્વાને. શ્રી સત્યવિજ્યજી પંન્યાસનો સમય બહુ ઝળહળતે છે અને તે સમયમાં જે જે પારમાર્થિક, પ્રતિભાશાળી પુરૂષો થયા છે તેથી જૈન સમાજને અદભૂત ધર્મલાભ મળ્યો છે. આ વખતે વિદ્વાનેને સમૂહ જેનોમાં હતું, જેમાંના કેટલાકનાં નામે આપીએ છીએ. શ્રી વાચકવર ઉપાધ્યાયશ્રી યશવિજય, શ્રી વિનયવિજય ઉપાધ્યાય (કે જેનું ચરિત્ર “નયકણિકામાં જુઓ), અધ્યાત્મરસિક વનવાસી શ્રી આનંદઘનજી, ઉપાધ્યાય શ્રી માનવિજ્યગણિ (“ધર્મસંગ્રહ”ના રચનાર), શ્રી જ્ઞાન વિમલસૂરિ (કે જેનો ‘વિમલ પક્ષ હજુ સુધી વિદ્યમાન છે.), ધર્મમંદિરગણિ, રામવિજયજી, લાવણ્યસુંદરઆદિ આ બધાએ ધર્મસાહિત્ય ગુજરાતી ભાષામાં મૂકી સાહિત્યધારા ઘણા વેગપૂર્વક ટકાવી રાખી છે. પ્રખ્યાત દિગબર કવિ બનારસીદાસ (સમયસારના રચનાર) પણ આ સમયે વિધમાન હતા. તેમજ અન્ય દર્શનેમાં રામદાસ, તુકારામાદિ હતા કે જેમણે ભક્તિપ્રાધાન્ય અપૂર્વ સંગીત ગાઈ સમાજ સુધારણ અને રાષ્ટ્રસુસ્થિતિ માટે પ્રબળ પ્રયત્ન કર્યો છે, અને ગુજરાતમાં કવિ પ્રેમાનંદ, શામલ અને અખાએ પિતાની કાવ્યગિરાથી ગુજરાતને ગજાવી છે,