________________
૩૬
ગમન થયું, ને તે ક્યારે થયું એ સંબંધમાં કંઈ પણ ઉલ્લેખ નથી. રાસ સં. ૧૬૫૫ ના આશે માસની શુદિ ૫ ને દિને રચાયેલું છે એવું જણાવેલું છે.
રાસકાર-જયવિજય. " જયવિજય એ ઉક્ત ચરિત્રનાયક શ્રી કલ્યાણવિજ્યના પિતાના શિષ્ય હતા અને તેમણે જ આ રાસ રચ્યો છે એટલે તેની વિશ્વસનીયતા પૂરવાર થાય છે.
શિષ્ય પરંપરા. શ્રી કલ્યાણવિજ્ય વાચકના વંશજ મહા મહોપાધ્યાય ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી હતા એમ અનુમાન કરતાં જણાય છે, અને તે આ રીતે –
હીરવિજયસૂરિ.
કલ્યાણવિજય ઉપાધ્યાય.
લાભવિજયગણિ.
જનવિ.
જીતવિજય.
નયવિજયે..
નવલિન. '
યશોવિજયે ઉપાધ્યાયકારણ કે શ્રી યશોવિજયજી પિતાના ૩૫૦ ગાથાના સ્તવનની પિતાની પ્રશસ્તિમાં જણાવે છે કે – હીર ગુરૂ શિષ્ય અવતંસ મેટે હુઓ, વાચકરાજ કલ્યાણવિજે; હમ ગુરૂ સમવડે શબ્દ અનુશાસન, શીષ તસ વિબુધવર લાભવિ. શિષ તસ છવિ જ વિબુધવાર, નયવિજય વિબુધ તસ સુગુરૂ ભાયા; રહિય કાશીમઠે જેહથી મેં ભલે, ન્યાયદર્શન વિપુલભાવ ભાયા.
આમાં યશવિજ્યજી ઉપરોક્ત વંશપરંપરા આવે છે અને તેની સાથે આપણું ચરિત્રનાયકને હીરવિજયસૂરિના શિષ્ય સમુદાયમાં અવતંસ એટલે સુકુટ સમાન વર્ણવે છે, એટલું જ નહિ પરંતુ વાચકેમાં–ઉપાધ્યાયમાં રાજા સરીખા અને શબ્દાનુશાસનમાં-વ્યાકરણ શાસ્ત્રમાં શ્રી હેમાચાર્ય સરખા જણાવે છે.
આ સિવાય વ્યાખ્યાનકળામાં ઘણું કુશળ, ઉપદેશમાળાપર ટીકા રચનાર કવિ રામવિજય પણ શ્રી કલ્યાણવિજયે ઉપાધ્યાયની શિષ્ય પરંપરાથી થયેલ છે. જુઓ પૃ. ૨૨.