SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ પરંપરામાં આ. હરિભદ્રની વિશેષતા-૨ તેને લીધે જીવનપ્રવાહ પતિત જ રહે છે. અનેક જ્ઞાત-અજ્ઞાત બળથી એ અનુચ્ચોવૃત્તિ ભેદાય છે, ત્યારે ચેતન સમત્વકેન્દ્ર ભણી વળે છે. જેટલા પ્રમાણમાં તે સમત્વકેન્દ્ર ભણું વળતો જાય તેટલા પ્રમાણમાં તેને કલેશમળ મોળો પડતો જાય; અને કલેશમળ ઘટતું જાય તે પેલા અજ્ઞાનને પણ નબળું પાડતો જાય. આ થઈ પ્રતિસ્ત્રોતવૃત્તિ. અજ્ઞાન, મોહ કે અવિદ્યા–જેને રેયાવરણ કહેવામાં આવે છે તે–ખરી રીતે જોતાં ચેતનગત સમત્વકેન્દ્રને જ આવરે છે, જ્યારે એમાંથી પ્રવર્તતું કલેશચક્ર એ બાહ્ય વસ્તુઓમાં જ પ્રવતતું રહે છે. અજ્ઞાન અને તેથી પોષાતા કલેશચક્રને વધતો જતે હાસ એ જ ઉપર સૂચવેલ ભૂમિકાએના તારતમ્યનું કારણ છે. હરિભદ્ર જૈન પરિભાષામાં એને યોગ્યતાભેદ કે પશમવિશેષથી ઓળખાવે છે. આ યોગ્યતાભેદ સમજાવવા તેમણે કેટલાંક દષ્ટાંત આપી એ દશાવ્યું છે કે એક જ દસ્યને એક જ કષ્ટ પરિસ્થિતિવશ કે સ્વાતન્ય-પારતત્ર્યવશ કે ઉંમરભેદને લીધે યા ઈન્દ્રિયગુણ્યને લીધે કેવી રીતે અનેક પ્રકારે નિહાળે છે. હરિભદ્રની આ દૃષ્ટાન્તજના બાહ્ય ઇન્દ્રિયના પ્રદેશ પૂરતી છે, પણ તે દ્વારા એમણે આધ્યાત્મિક અજ્ઞાન અને જ્ઞાનની ભૂમિકાઓનું તારતમ્ય કેમ થાય છે તે સૂચવ્યું છે. હરિભદ્રનાં એ દષ્ટાન્તો સૌને સમજાય તેવાં અને રોચક પણ છે. કોઈ દ્રષ્ટા૧૩ પાસે જ રહેલા દશ્ય પદાર્થને મેઘલી રાતે કે મેઘ વગરની રાતે નિહાળે, તેમજ વાદળથી ઘેરાયેલ દિવસે કે ચોખા દિવસે જુએ, વળી એ ચિત્તભ્રમની સ્થિતિમાં કે એથી મુક્ત દશામાં નીરખે, બાલ્ય કે એવી અપકવ ઉંમરે યા પકવ ઉંમરે જુએ, એ જ દ્રષ્ટા કમળો કે એવા રોગથી ગ્રસ્ત નેત્રે યા નીરોગ નેત્રે જુએ છે, તે દસ્ય અને દ્રષ્ટા એક જ હોવા છતાં, તેના દર્શનમાં અનેકવિધ તારતમ્ય હોય છે. તે જ રીતે જીવ તેનો તે હોવા છતાં અને તેનું જીવન કે પ્રવૃત્તિક્ષેત્ર તેનું તે હોવા છતાં તેના ઉપરના યાવરણ અને કલેશાવરણની તીવ્રતા–મંદતાના તારતમ્યથી તેના આંતરિક દર્શનમાં
SR No.005933
Book TitleSamdarshi Acharya Haribhadra
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghvi
PublisherMumbai University
Publication Year1961
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy